૨૭મી માર્ચે એટલે વિશ્વ રંગમંચ દિવસ.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-27 16:41:14

દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા  દર વર્ષે આજન દિવસે વિશ્વ થિયેટર દિવસ ઉજવવામાં આવે છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી પરંતુ એ જે તે દેશના લોકોના જીવન અને એના સંઘર્ષ અને લોકજીવનને દર્શાવે છે જે અનેક લોકોને એક્મકે સાથે જોડે છે.


ITI દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ માટે કોઈ ચોક્કસ થીમ નક્કી કરતું નથી. દર વર્ષે, વિશ્વ રંગભૂમિ દિવસની થીમ "થિયેટર અને શાંતિની સંસ્કૃતિ" હોય છે.પ્રાચીન ગ્રીસથી, થિયેટર કલા અને મનોરંજનનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે - જે તેના પ્રેક્ષકોને રોમાંચિત કરે છે. તે માત્ર મનોરંજન અને શિક્ષિત નથી કરતું, પરંતુ થિયેટર તેના જીવંત પ્રેક્ષકોને વાસ્તવિક રંગમંચનો અનુભવ આપવા માટે વિવિધ કલા સ્વરૂપોને પણ જોડે છે, જે તમને બીજી કોઈ કળામાં ક્યાંય મળતું નથી.

 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા  દર વર્ષે  થિયેટરએ ફક્ત મનોરંજન નું સાધન નથી પરંતુ એ જે તે દેશ ના લોકોના જીવનનું પ્રતિબિંબ છે જે લોકોને એક્મકે સાથે જોડે છે.થિયેટર ફક્ત મનોરંજન આપવાનું જ કામ નથી કરતુ પણ એ જીવનના મુલ્યો અને સમાજમાં આર્થિક વિકાસમાં સહભાગીતાનું પણ કામ કરે છે


ગુજરાતી રંગમંચ 

ગુજરાતના આ પ્રદેશમાં લોક-નાટ્ય, ભવાઈની લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયો હતો.

૧૮૫૦માં લક્ષ્મી નામનું નાટક સૌ પ્રથમ ગુજરાતીમાં દલપતરામે લખ્યું હતું.જેની યાદમાં અમદાવાદ દલપતરામની પ્રતિમા દલપતરામ ચોક ખાતે મુકવામાં આવી છે. ૧૯૫૨માં અમદાવાદમાં નાટ મંડળની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય ફરી એકવાર ગુજરાતી રંગભૂમિના વિવિધ દૂરના કલાકારોને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

પરંપરાગત ભવાઈ સંગીત નાટકોને પણ થિયેટર દિગ્દર્શકો દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યા, જેમ કે શાંતા ગાંધી, જેમણે ગુજરાતી લોકકથા પર આધારિત જસ્મા ઓડન (૧૯૬૮) લખી અને દિગ્દર્શિત કરી હતી, જ્યારે દિના પાઠક (તે સમયે ગાંધી) એ મેના ગુજરમાં મુખ્ય ભૂમિકાનું નિર્માણ અને અભિનય કર્યો હતો.વડોદરામાં નાટ્યગૃહને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો, અને આ શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતું હતું, અને ગંધર્વ નાટક મંડળી માટે જાણીતું હતું.

 ૧૯૫૦માં શહેરમાં નૂતન સંસ્કાર કેન્દ્ર, ત્રિમૂર્તિ, નાટ્ય વિહાર, ભારતીય કલા કેન્દ્ર અને યુનિવર્સલ આર્ટ ફોરમ સહિત અનેક જૂથોની રચના કરવામાં આવી હતી. પછીના દાયકાઓમાં રંગાવલી (૧૯૭૪), કશુંક, વિષ્કંભક, આકાર થિયેટર (૧૯૮૦), ઇન્ટિમેટ, જયશ્રી કલાનિકેતન અને નવચેતન જેવા જૂથોની રચના કરવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકામાં શહેરમાં હજુ પણ દસ નાટ્યગૃહો હતા, પરંતુ ૨૦૦૦ના દાયકા સુધીમાં ધીમે ધીમે તેના મોટાભાગના નાટ્યગૃહો અને પ્રેક્ષકો ગુમાવી દીધા, જોકે સુરત અને રાજકોટમાં નાટ્યગૃહો હજુ પણ અસ્તિત્વમાં છે. ૨૦૦૦ના દાયકાના મધ્યભાગ પછી, ગુજરાતી નાટ્યગૃહે પુનરુત્થાનનો અનુભવ કર્યો અને તે સતત વિકાસ પામી રહ્યું છે.

ગુજરાતના રંગમંચના કલાકારોએ રૂસ્તમ, જબુલી અને સોરાબ જેવા લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવ્યા હતા, જે શાહનામાની લોકપ્રિય નાટ્યકથા પર આધારિત છે. તેમને ગુજરાતી રંગમંચની શરૂઆત માનવામાં આવે છે.   

ગુજરાતના ઘણા પોતીકા ગુજરાતી થિયેટર કલાકારો ઊંચા ગજાનું કામ કરી ગયા છે. જશવંત ઠાકરે ,ચંદ્રવદન મેહતા,અદિતિ દેસાઈ,અભિનય બેન્કર સાથે કેટલાય કલાકારો દીના પાઠક, કિરણકુમાર ,અરુણા ઈરાની, , સરિતા જોશી,અરવિંદ જોશી,સૌમ્ય જોશી, અર્ચન ત્રિવેદી  અને આજના સમયે પ્રતિક ગાંધી,અભિનય બેન્કર,મયુર ચૌહાણ,દર્શન જરીવાલા,સુપ્રિયા પાઠક જેવા કલાકારો આજે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.     







ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે