ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે હારીને શ્રીલંકા બહાર


  • Published By :
  • Published Date : 2023-03-13 13:17:36

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટ ચર્ચમાં ન્યુઝીલેન્ડએ શ્રીલંકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ જીતીને ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધુ છે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે બે ટેસ્ટમાં કોઈ એકમાં શ્રીલંકાની હાર કે ડ્રોની જરૂર હતી. ન્યૂઝીલેન્ડએ લંકાની ટીમને હરાવીને ભારતને ખુશી આપી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની કોઈ અસર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણો પર પડશે નહીં.


ભારત સતત બીજી વખત WTCની ફાઈનલમાં


ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. છેલ્લી વખત 2021માં તેને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ વખતે ન્યૂઝીલેન્ડે તેને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે.


શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં શું થયું?


મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 355 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. આ રીતે તેને પ્રથમ દાવમાં 18 રનની લીડ મળી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં 302 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેન વિલિયમ્સનની સદીની મદદથી શ્રીલંકાનો મેચના પાંચમા અને અંતિમ દિવસે છેલ્લા બોલે પરાજય થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે