દર વર્ષે 10 એપ્રિલના રોજ મનાવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-04-10 15:25:28

વિશ્વભરમાં અનેક તેહવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રસિદ્ધ લોકોની જન્મજયંતીને યાદ રાખવા અનેક વખત તેમના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે.

World Homeopathy Day 2023: વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે,  જાણો શું છે આ વર્ષની થીમ, world homeopathy day 2023 one health one family

10 એપ્રિલે ઉજવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ

રોગના ઉપચાર માટે અનેક પદ્ધતિઓ આપણને મળી આવે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની અનેક પદ્ધિતીઓની મદદથી રોગોને દૂર કરવામાં આવે છે. એવા અનેક લોકો હોય છે જેમને હોમિયોપેથી પર વધારે વિશ્વાસ હોય છે. અનેક લોકો હોમિયોપેથી પર વિશ્વાસ રાખી સારવાર કરાવી રહ્યા છે. લાઈફ ક્યોર સિદ્ધાંતોના આધારે ચાલવા વાળી પદ્ધતિ છે. જો હોમિયોપેથી શબ્દની વાત કરીએ તો આ શબ્દ હોમિયો પરથી આવ્યો છે. હોમિયોનો અર્થ થાય છે સમાન અને પેથોસનો અર્થ થાય છે રોગ.       

 I am Gujarati & This is my Gujarat - A Gujarati Community website to serve  the Society - હોમિયોપેથી-એક-પરિચય

હોમિયોપેથી પણ છે સારવારની એક પદ્ધતિ   

જર્મન ડોક્ટર ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનને હોમિયોપેથીના સ્થાપક માનવામાં આવે છે. 10 એપ્રિલના રોજ તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે એટલે આ જ કારણો સર વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હોમિયોપેથી પણ સારવારનો એક ભાગ છે. હોમિયોપેથીમાં દર્દી પ્રમાણે સારવાર કરવામાં આવે છે. જેને જેવી બિમારી તે પ્રમાણે દર્દીને દવા આપવામાં આવે છે. દરેક દવાઓ અલગ અલગ હોય છે. તમે જ્યારે હોમિયોપેથીના ડોક્ટરને કન્સલ્ટ કરો છો ત્યારે તે બહુ બધી વાતો કરતા હોય છે. દર્દી પ્રમાણે દવાઓ બદલાતી રહે છે. ડોક્ટરની સલાહ વગર આ દવાઓ ન લેવી જોઈએ.   



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.