વર્ષ 2023માં આવનારી વૈશ્વિક મંદી માટે થઈ જાઓ તૈયાર, આ અગ્રણી સંસ્થાએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-29 17:29:09

વિશ્વમાં આગામી વર્ષે મંદી આવશે કે કેમ તેને લઈ અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર છે. જો કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એક બાબતે સંમત છે કે વર્ષ 2023 લોકો માટે કપરા ચઢાણ જેવું રહેશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વૈશ્વિક મંદી આવશે. 


મંદી અંગે CEBRનો રિપોર્ટ શું કહે છે?


CEBRના રિપોર્ટ મુજબ ઉંચા ફુગાવા દરને રોકવા માટે વિશ્વના વિવિધ દેશોની કેન્દ્રીય બેંકો વ્યાજ દર વધારી રહી છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રને આગામી વર્ષે મંદીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોંઘવારીનો દર હજુ પણ ઉંચો છે અને વ્યાજ દર વધારવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.


IMFએ પણ મંદીની આશંકા વ્યક્ત કરી 


આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)એ પણ તેના પૂર્વાનુમાનમાં નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. IMFએ ઓક્ટોબરમાં ચેતવણી આપી હતી કે વિશ્વ અર્થતંત્રનો એક તૃતિયાંશથી વધુ કોન્ટ્રાસ્ટ થશે અને વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીના 2 ટકાથી ઓછી વધવાની શક્યતા 25 ટકા છે. જેને તે વૈશ્વિક મંદીના સ્વરૂપમાં પરિભાષિત કરે છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટ્રર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ આઈએમેફ અને વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પાસેથી તેનો આધાર ડેટા મેળવે છે. CEBR ગ્રોથ, મોંઘવારી અને વિનિમય દરોની ભવિષ્યવાણી કરવા માટે એક આંતરિક મોડલનો ઉપયોગ કરે છે. CEBRના રિસર્ચ પ્રમાણે ભારત 2035માં વિશ્વની ત્રીજી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વર્ષ 2032 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.