લોકોમાં કેન્સરને લઈ જાગૃત્તા આવે તે માટે 4 ફેબ્રુઆરીના રોજ કરાય છે વિશ્વ કેન્સર ડેની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-02-04 13:29:41

4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આજ કાલ અનેક લોકો કેન્સરની બિમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે લોકોમાં કેન્સરને લઈ જાગૃત્તા લાવવા તેમજ જોખમી બીમારીઓની ગેરમાન્યતાઓને દૂર કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું નેતૃત્તવ યૂનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે. અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


કેન્સરને લઈ ગેરમાન્યતાઓ દૂર કરવા કરાય છે ઉજવણી 

સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્સર અંગે લોકોને અનેક ગેરમાન્યતા રહેલી હોય છે. તે ગેરમાન્યતાઓને દૂર કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓનું પ્રમાણ ઘટાડવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.       


1993માં આ દિવસની કરાઈ હતી ઉજવણી           

અત્યારના આધુનિક સમયમાં કેન્સરની બીમારી વધવા પામી છે. જેનું મુખ્ય કારણ ધુમ્રપાન, ટોબેકો સહિત અનેક ડ્રગ્સનું સેવણ કરવાને કારણે કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે કેન્સર મોતનું બીજું પ્રમુખ કારણ છે. આ દિવસની ઉજવણી વર્ષ 1933માં શરૂ થઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે વર્ષ 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ વખત કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ અલગ અલગ થીમ પર વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે.  


કેન્સર પર ધીમે ધીમે કરાયું સંશોધન   

કેન્સર શબ્દની શોધ ફાધર ઓફ મેડિસિન ગણાતા ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સ દ્વારા કરવામાં આવી હતી. બિન-અલ્સર અને અલ્સર રચના ગાંઠોનું વર્ણન કરવા માટે કોર્સિનોમા અને કાર્સિનોમાં શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે બાદ ધીમે ધીમે કેન્સરને લઈ શોધ શરૂ કરી અને અલગ અલગ જગ્યાઓ પર કેન્સર વિશે વાતો કરવાની શરૂઆત થઈ. 


અનેક પ્રકારના કેન્સરનો લોકો બની રહ્યા છે ભોગ 

50 એડીમાં ઈટાલીમાં રોમનાએ શોધ્યું કે સર્જરી દ્વારા અનેક પ્રકારની ગાંઠો દૂર કરી શકાય છે. પરંતુ આ રોગમાં કોઈ દવા કામ કરતી નથી. 1500 યુરોપમાં કેન્સર શોધવા માટે શબપરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈ કેન્સર રોગ શું હોય તેને લઈ વધારે માહિતી ભેગી થઈ. કેન્સરના દર્દીઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. એક રિુપોર્ટ અનુસાર 10 ભારતીયમાંથી એક ભારતીય પર કેન્સરનું જોખમ રહેલું છે. આ રોગના અનેક પ્રકારો હોય છે. આમાંથી સૌથી સામાન્ય છે સ્તન કેન્સર, ચામડીનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા અનેક કેન્સર. યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલએ વિશ્વ કેન્સર દિવસને ગ્લોબર ઈન્ડિગ્રેટેડ ઈવેન્ટ તરીકે જાહેર કર્યો છે. વિશ્વભરના લોકો કેન્સર સામે લડવા માટે લોકોને ઓળખવા, કાળજી લેવા અને સશક્તિકરણ કરવા માટે એકસાથે આવે છે, તેમજ જેઓ રોગ પર કાબુ મેળવે છે.    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!