પાકિસ્તાન અંગે વર્લ્ડ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ, એક જ વર્ષમાં ગરીબોની સંખ્યા 1.25 કરોડથી વધી 9.5 કરોડ થઈ


  • Published By :
  • Published Date : 2023-09-24 17:08:04

ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા (Pakistan Economic Crisis) પાકિસ્તાનમાં હજુ પણ સ્થિતિ સુધરી રહી નથી. દેશમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એક વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબોની 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ ગઈ છે.

 

પાકિસ્તાનનું આર્થિક મોડલ નિષ્ફળ!


વિશ્વ બેંકના પાકિસ્તાન માટેના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિઆસ હક (Tobias Haque)નું કહેવું છે કે પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. વિશ્વ બેંકે તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે દેશને નાણાકીય સ્થિરતા માટે જે પગલાં લેવાની જરૂર છે તેમાં કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવાની સાથે સાથે નકામા ખર્ચમાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે. ટોબિઆસ હકે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસ સંકટનો સામનો કરી રહ્યું છે અને તે એવા તબક્કે છે કે જ્યાંરે મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાકિસ્તાનની આજની આર્થિક સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન ઝડપથી ગરીબીની જાળમાં ફસાઈ રહ્યું છે, જે પહેલાથી જ આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાન માટે મોટું સંકટ પેદા કરી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે