મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ, સમર્થનમાં પડ્યા 215 વોટ, PM મોદીએ કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-21 23:13:44

સંસદના વિશેષ સત્ર દરમિયાન ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભામાં થયેલા મતદાનમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. બિલના વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. 


ઉપરાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન


આ બિલ પર પ્રસ્તાવિત તમામ સુધારા રાજ્યસભામાં પણ ધરાશાઈ થયા હતા. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પાસ થવા પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બધાને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે આ એક સંયોગ છે કે હિન્દુ તિથી મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. હું તેમને અભિનંદન આપું છું.


PM મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો


રાજ્યસભામાં બિલ પર મતદાન થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવું નથી કે, બિલ પાસ થવાથી જ નારી શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે. પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા પ્રદાન કરનાર છે. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.


PM મોદીએ ટ્વિટ કર્યું


રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું, આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે. સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ માત્ર કાયદો નથી; તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે આપણા દેશનું નિર્માણ કર્યું છે. ભારત તેમની સ્થિતિસ્થાપકતા અને યોગદાનથી સમૃદ્ધ બન્યું છે. PMએ આગળ લખ્યું, આજે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.