પહેલા વસ્તી ગણતરી, પછી સીમાંકન... ત્યાર બાદ મળશે મહિલા અનામત, આટલા વર્ષો લાગશે


  • Published By :
  • Published Date : 2023-09-19 23:05:29

સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં 'નારી શક્તિ વંદન એક્ટ' નામનું આ બિલ રજૂ કર્યું હતું. સરકારે તેને ઐતિહાસિક ગણાવ્યું છે. બિલની રજૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પવિત્ર શરૂઆત થઈ રહી છે. જો કાયદો સર્વસંમતિથી બનશે તો તેની તાકાત અનેકગણી વધી જશે. હાલમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. બાદમાં તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આશા છે કે આ વખતે આ બિલ પાસ થઈ જશે. પરંતુ ખરડો પસાર થયા બાદ તેનો અમલ ક્યારે થશે? આ અંગે મોટી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


વિરોધ પક્ષોએ તેને જુમલો ગણાવ્યો 


કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ દાવો કર્યો હતો કે મહિલા આરક્ષણ બિલમાં સ્પષ્ટ લખેલું છે કે આ બિલ સીમાંકન પૂર્ણ થયા બાદ અમલમાં આવશે. તેથી, આ મહિલા અનામત કોઈ પણ ભોગે 2029 પહેલા લાગુ કરી શકાય નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે 2024ની ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકનની અપેક્ષા નથી. કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ X પર પણ લખ્યું છે કે, 'આ બિલ વસ્તી ગણતરી પછી જ લાગુ કરવામાં આવશે. 2021ની વસ્તી ગણતરી હજુ થઈ નથી. વસ્તી ગણતરી 2027 અથવા 2028 માં થશે. તે પછી સીમાંકનની પ્રક્રિયા થશે અને ત્યાર બાદ જ મહિલા અનામત બિલ લાગુ કરવામાં આવશે. હાલમાં આ બિલ પર બુધવારે લોકસભામાં ચર્ચા થશે. અને ત્યાર બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ બિલ ક્યારે અમલમાં આવશે? આ અંગે સરકાર તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.


શા માટે વિલંબ થશે?


આ સમગ્ર રમત વસ્તી ગણતરી અને સીમાંકન સાથે સંબંધિત છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી હશે? આ કામ સીમાંકન પંચ દ્વારા કરવામાં આવે છે. 1952માં સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી. કલમ 82માં પંચનું કામ પણ નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ સામાન્ય ચૂંટણી સમયે લોકસભાની બેઠકોની સંખ્યા 489 હતી. છેલ્લી વખત સીમાંકન 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સીટોની સંખ્યા વધીને 543 થઈ ગઈ હતી.


શું 2029ની ચૂંટણીમાં મહિલા અનામતનો અમલ થશે?


હવે સવાલ એ છે કે તો શું શું 2029ની ચૂંટણીમાં અનામતનો અમલ થશે? તો આ મુદ્દે નિષ્ણાતો પણ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી. કારણ કે જ્યારે અટલ બિહારી વાજપેઈની સરકારમાં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે એવી જોગવાઈ કરવામાં આવી હતી કે લોકસભાની સીટોનું સીમાંકન 2026 પછી જ કરવામાં આવશે જ્યારે પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને તેનો ડેટા પ્રકાશિત કરવામાં આવશે.અત્યાર સુધી તો 2021ની વસ્તી ગણતરી જ થઈ નથી અને 2026 પછી તે 2031 માં થશે. ત્યાર બાદ જ લોકસભા સીટોનું સીમાંકનની અપેક્ષા છે. જો આમ થશે તો 2024ની વાત છોડી દો, 2029ની લોકસભાની ચૂંટણી વખતે પણ મહિલા અનામતનો અમલ કરવો મુશ્કેલ બનશે. એ જ રીતે, રાજ્યોની વિધાનસભા બેઠકો માટે જુલાઈ 2002માં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. આયોગે જુલાઈ 2007માં તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો. તેના આધારે ઘણા રાજ્યોમાં સીમાંકન થયું હતું. રાજ્યોની વિધાનસભા બેઠકોનું સીમાંકન પણ વસ્તી ગણતરી પર આધારિત છે. જો આમ થશે તો રાજ્યોએ પણ આગામી વસ્તી ગણતરી અને પછી સીમાંકન માટે રાહ જોવી પડશે. મતલબ કે મહિલા અનામત ખરડો પસાર થયા પછી પણ તેના અમલમાં વર્ષો લાગશે તે નિશ્ચિત છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે