ખાલી વાસણ વગાડી વાંકાનેરમાં મહિલાઓએ કર્યો ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, AAPએ કર્યા કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 10:06:46

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પોતાના કામોને મતદારો સુધી પહોંચાડવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહી ભાજપ તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની આગેવાનીમાં ગૌરવ યાત્રા નિકળી હતી. મોરબીના વાંકાનેર ખાતે આ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ ખાલી ઘડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો.  


ખાલી વાસણ વગાડી મહિલાઓએ કરી પાણી આપવાની માગ 

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગૌરવ યાત્રામાં ભાજપ પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તેવી વાતો કરતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાંકાનેર ખાતે આવેલી તેમની ગૌરવ યાત્રા દરમિયાન મહિલાઓએ ખાલી ઘડા વગાડી તેમના ઘર સુધી પાણી પહોંચાડવાની માગ કરી હતી. પીયુષ ગોયલે પોતાના પ્રવાસની તસવીરો ટ્વિટ કરી છે જેમાં તેમણે યાત્રા દરમિયાન મળેલા જન પ્રતિસાદની વાત કરી છે. ડબલ એન્જીન સરકારની ઘણી વાતો કરી પરંતુ યાત્રામાં થયેલા વિરોધ દર્શાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ  વિરોધનો વીડિયો શેર કર્યો હતો. 

 

આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે આ વાતની નોંધ પણ બીજી પાર્ટી દ્વારા લેવામાં આવતી હોય છે. આવા મુદ્દાઓને લઈ રાજકીય ઓપ આપી પાર્ટી પર પ્રહાર કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ ભાજપના ગુજરાત મોડલ પર કટાક્ષ કર્યા હતા. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે આ ભાજપનું વિકાસ મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કર્યો હતો. પીયુષ ગોયલને પાણી આપવાની માગ કરી હતી.  ભાજપ 27 વર્ષ સુધી પાણી પણ પહોંચાડી શક્તી નથી.




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.