મહિલાઓએ હિજાબ સળગાવી અને વાળ કાપી વિરોધ નોંધાવ્યો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:48

મહિલાઓ નો વિરોધ 

ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો મચી ગયો છે અને હવે આ મામલો બહુ આગળ વધી ગયો છે. અગાઉ હિજબ પહેરવાની ના પડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં ઈરાની મહિલાઓમાં ભારે રોષ છે. અને આનો વિરોધ કરતાં મહિલાઓ હિજાબ સળગાવી રહી છે અને પોતાના વાળ પણ કાપીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 

વાસ્તવમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીએ હિજાબ પહેરવાની ના પાડી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેણીના શંકાસ્પદ મૃત્યુ બાદ, ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવી. દરમિયાન, હવે ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા છે અને હિજાબ પણ બાળી નાખ્યો છે. આની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. 

મહિલાઓ ઉગ્ર આંદોલન પર ઉતરી છે જેટલા વિડીયો વાઇરલ થાય છે તેમ દેખાય છે ઈરાનમાં તીવ્ર દેખાવો શરૂ થઈ ગયો છે. 



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .