ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશીપને સ્વીકારતો નથી, બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ: અલ્હાબાદ HC


  • Published By :
  • Published Date : 2023-02-24 15:17:12

દેશમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે. જો કે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતું કપલ જ્યારે અલગ થાય છે ત્યારે મહિલાઓને જ ભોગવવું પડતું હોય છે. આખરે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા તેના પાર્ટનર સામે બળાત્કારનો કેસ નોંધાવતી હોય છે. આવા જ એક કેસને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે મહત્વનો યુકાદો આપ્યો છે.


અલ્લાહબાદ હાઈકોર્ટે શું કહ્યું?


અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે લિવ-ઈન રિલેશનશીપના બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજ મોટાભાગે આવા સંબંધોને સ્વીકારતો નથી. પોતાની પરિણીત લિવ-ઇન પાર્ટનર પર બળાત્કાર કરવાના આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ તૂટી ગયા પછી એક મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજ સામાન્ય રીતે આવા સંબંધોને મંજૂર કરતો નથી. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મહિલા પાસે તેના લિવ-ઈન પાર્ટનર સામે FIR નોંધવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી જેવું કે આ કેસમાં થયું છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે