કયા મંત્રથી અને કેવી રીતે સૂર્ય ભગવાનને જળ કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2022-11-26 16:36:53

ભગવાન સૂર્યને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. ભગવાન સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યોદય થયા પછી તીથી બદલાય છે. અનેક લોકો સવારે સૂર્યની ઉપાસના કરે છે. પૂજા માટે આપણે સવારે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉગતા સૂરજની ઉપાસના કરવાથી જીવનમાં ઉન્નતિ આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અનેક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નિયમીત રીતે જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

सूर्य को जल देने के इन फायदों को जानेंगे तो, हर दिन देंगे जल - benefits of  offering water to sun - Navbharat Times

ભગવાન સૂર્યનારયણને પ્રસન્ન કરવા જળમાં કંકુ, અક્ષત તેમજ પુષ્પ પધરાવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો અથવા તો સૂર્યના 12 નામોનો જાપ કરવો જાઈએ. સૂર્યના બાર નામ આ પ્રમાણે છે. ઓમ્ મિત્રાય નમ:, ઓમ્ રવયે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભાનવે નમ:, ઓમ્ ખગાય નમ:, ઓમ્ પુષ્ણે નમ:, ઓમ્ હિરણ્યગર્ભાય નમ:, ઓમ્ મરિચે નમ:, ઓમ્ આદિત્યાય નમ:, ઓમ્ સવિત્રે નમ:, ઓમ્ અર્કાય નમ:, ઓમ્ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપરાંત તીર્થ સ્થાને અથવા તો નદી કિનારે આપેલા અર્ધ્યને વિશેષ માનવામાં આવે છે. 

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

આપણા હિંદુ ધર્મમાં કોઈ જે પણ ધાર્મિક રિવાજો હોય છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવાથી શરીરમાં વિટામીનની કમી નથી થતી. એકધારથી જળ ચઢાવવાને કારણે એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત શરીરમાં રંગોનું સંતુલન પણ જળવાઈ રહે છે. આપણે જ્યારે જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સૂર્ય તરફ નહીં પરંતુ જળની ધારા પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે સૂર્યની કિરણો જળમાંથી નિકળે છે ત્યારે પાણીની ધારા Spectrum જેવું કામ કરે છે. સૂર્યની કિરણને સાત રંગોમાં વહેંચી નાખે છે અને શરીરમાં રહેલા સાત ચક્રોને ઉર્જાવાન કરે છે.   




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.