શિયાળાની શરૂઆત થતા નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું


  • Published By :
  • Published Date : 2022-10-26 11:39:31

દિવાળીના સમયમાં લોકો જેમ ફરવા જાય છે તેમ પક્ષીઓ પણ સ્થાળાંતર કરતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષી નળસરોવરમાં આવી સમય કાઢતા હોય છે. નળસરોવર ખાતે આવી વિદેશી પક્ષીઓ સમય વિતાવતા હોય છે. શિયાળાની ઋતુમાં નળસરોવર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના તેમજ વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. આ વર્ષે એવું માનવામાં આવી રહ્યું છે કે સમય કરતા પહેલા પક્ષીઓ નળસરોવર આવી શકે છે. 

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે  ખુલ્લું મુકાયું

સમય કરતા પહેલા આવી રહ્યા છે પક્ષી

અમદાવાદના નળસરોવરમાં શિયાળાના સમય દરમિયાન ફ્લેમિંગો, પિનટેઈલ વગેરે પક્ષીઓ આવતા હોય છે. ત્યારે આ વખતે આ પક્ષીઓ હમણાંથી આવી ગયા છે. સામાન્ય રીતે આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનામાં નળસરોવર ખાતે આવતા હોય છે. અને શિયાળાની ઋતુ નળસરોવરમાં વિતાવે છે. આ વર્ષે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ છે જેને કારણે પક્ષીઓને ખાવાનું શોધવામાં તકલીફ નહીં પડે. 

ગુજરાત નુ મોટા માં મોટુું સરોવર,જે ને દુનિયા પક્ષી અભયારણ્ય તરીકે ઓળખે છે  ,એ નળસરોવર માં વિદેશી યાયાવર પક્ષીઓ ઓનું આગમન? નળસરોવર વિશે વધુ ...

આ વર્ષે અંદાજીત 140 જાતના પક્ષીઓ નળસરોવર આવી શકે છે

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ઘણો સારો વરસાદ પડ્યો છે. પરંતુ નળસરોવરની જળ સપાટીમાં મોટો ફેરાફાર નથી થયો. આ વખતે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષો પછી એવું બનશે કે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ હશે. આ વખતે મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી શકે છે. આ વખતે અંદાજીત 140 જાતના પક્ષીઓ જોવા મળી શકે છે. 

નળ સરોવર - વિકિપીડિયા

પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે નળસરોવર

દિવાળી સમયે પક્ષીઓનું આગમન થતા લોકો ફરવા માટે નળસરોવર પસંદ કરે છે. પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો નળસરોવરની મુલાકાત લેતા હોય છે. લોકોમાં વિદેશી પક્ષીઓને જોવાની અલગ ચાહના હોય છે. એમ પણ દિવાળીના સમયે લોકો ફરવા જવા માટે જગ્યાઓની શોધ કરતા હોય છે. ત્યારે અનેક લોકો નળસરોવરની પસંદગી કરે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.