ચોમાસાના આગમન સાથે જ વધ્યા લીલા શાકભાજીના ભાવ, ટામેટાની સાથે સાથે આ શાકોના ભાવમાં આવ્યો ઉછાળો!


  • Published By :
  • Published Date : 2023-07-04 19:05:54

ચોમાસાની સિઝન આવતાની સાથે જ ટામેટાના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જે ટામેટા થોડા દિવસો પહેલા 20થી 30 રુપિયે કિલોના ભાવે વેચાતા હતા તે હવે 100-150 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારા થવાના અનેક કારણો છે, જેમ કે ટામેટાનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે. એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોઓ ટામેટાના પાકને ફેંકી દીધા હતા. બીજા રાજ્યોમાંથી ટામેટા મોડા આવતા ટામેટા ખરાબ થઈ જાય છે જેને કારણે તે લોકોના ઘર સુધી પહોંચી શક્તા નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ન માત્ર ટામેટાના ભાવમાં વધારો આવ્યો છે પરંતુ લીલી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. 


હજી પણ વધી શકે છે ટામેટાના ભાવ!

મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે તેની આગળ પેટ્રોલ પણ સસ્તુ લાગે. હાલ બજારમાં ટામેટા 100-160 વચ્ચે વેચાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે છે. 200 રુપિયે ટામેટા વેચાઈ શકે છે. ત્યારે ન માત્ર ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 


આ શાકભાજીની કિંમતમાં પણ આવ્યો ઉછાળો

શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે સારી ક્વોલિટીનું આદુ ખરીદવું છે તો તમારે 190-200 રુપિયા ચૂકવવા પડશે અને જો મીડિયમ ક્વોલિટીનું આદુ ખરીદવું હશે તો તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે. મરચાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા મરચા જે 55-60 રુપિયાની આસપાસ મળતા હતા તે હવે 110-120 રુપિયે મળી રહ્યા છે. ત્યારે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં આવેલા વધારે કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા ટામેટાથી ગૃહિણી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભાવમાં ફરી એક વખત વધારો થઈ શકે છે તેવું હાલ દેખાઈ રહ્યું છે.       

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.