કોરોના કેસ વધતા ઈસુદાન ગઢવીએ યોગ્ય વ્યવસ્થા કરવા સરકારને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2022-12-25 13:20:09

કોરોનાની દહેશત સમગ્ર વિશ્વમાં ફરી એક વખત ફેલાઈ રહી છે. કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. ફરી એક વખત કોરોના ન વકરે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આપના કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  

ઈસુદાન ગઢવીએ આરોગ્યતંત્રની તૈયારીનું કર્યું નિરીક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ સતર્ક થઈ છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


પૂરતી વ્યવસ્થા ઉભી કરવા સરકારને અપીલ કરી 

હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને પૂરતી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. સ્ટાફની ભરતી વહેલી તકે કરવા અપીલ કરી હતી. જરૂરી સાધનો ઉપલબ્ઘ કરાવા પણ સરકારને અપીલ કરી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.