Diwali દરમિયાન STમાં ઘરે જતી વખતે આ લોકોને કરજો વિશ, Harsh Sanghviએ લોકોને કરી આ અપીલ, લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-11-10 12:22:15

દિવાળી પર્વના તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસની ઉજવણી થશે, તો આવતીકાલે કાળી ચૌદસ અને રવિવારે દિવાળીની ઉજવણી થશે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તો તે તહેવારની ઉજવણી બમણી થઈ જતી હોય છે. તહેવાર દરમિયાન અનેક નોકરિયાતોને દિવાળીની રજાઓ આપવામાં આવતી હોય છે. બીજા શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે, પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક પ્રોફેશન, અનેક જોબ એવી હોય છે જેમાં દિવાળીની રજા નથી હોતી. ડોક્ટર, પોલીસકર્મીઓનું પ્રોફેશન એવું છે, મીડિયાકર્મીઓનું પ્રોફેશન એવું હોય છે ઉપરાંત એસટી વિભાગના કર્મચારીઓ એવા હોય છે જે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી મનાવતા.

અનેક કર્મીઓ દિવાળીની ઉજવણી ફરજ પર મનાવે છે!

પરિવાર સાથે જ્યારે સુખ વહેંચવામાં આવે ત્યારે તે બમણું થઈ જતું હોય છે અને જ્યારે દુખ વહેચવામાં આવે છે ત્યારે તે દુખ અડધું થઈ જતું હોય છે. પરિવાર વગર દરેક તહેવાર અધૂરા લાગે છે. જો કોઈ વ્યક્તિ પરિવારથી દૂર રહેતો હોય તો તેને પરિવારની યાદ આવા સમય પર આવતી હોય છે. પરિવાર સાથે તહેવાર લોકો મનાવી શકે તે માટે અનેક જગ્યાઓ પર દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ અનેક પ્રોફેશન એવા હોય છે જેમાં દિવાળી સમયે રજા નથી હોતી. તે કર્મીઓ પોતાની દિવાળી, બેસતુ વર્ષની ઉજવણી ફરજ પર કરતા હોય છે. તેવો એક વર્ગ છે એસટી બસના કર્મચારીઓનો. લોકો તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે અનેક એસટી બસની સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એક્સટ્રા બસ મૂકવામાં આવી છે. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે... 

એસટી વિભાગના કર્મચારી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. તેમનો પગાર વધારવામાં આવે તેવી તેમની માગ હતી. દિવાળી પહેલા સરકારે તેમની માગ સ્વીકારી લીધી અને તેમનો પગાર વધારો થઈ ગયો. હડતાળ પર ઉતરે તે પહેલા તેમની માગ સંતોષાઈ તેનો આનંદ કર્મીઓમાં હતો. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરી છે જેનો અમલ કદાચ દેરેકે કરવો જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગુજરાતવાસિયો, જ્યારે દિવાળી પર તમે ઘરે જાઓ ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પણ દિવાળીની શુભકામના આપો કારણ કે તેમનો પરિવાર તમે જ છો! 

નાના માણસોને પણ દિવાળી કરવી જોઈએ વિશ! 

હર્ષ સંઘવીએ એસટી કર્મચારીઓની વાત કરી પરંતુ દરેક નાના માણસને આવા તહેવાર દરમિયાન યાદ કરવા જોઈએ. રસ્તા પર કચરો ઉપાડતા લોકોને પણ દિવાળીની શુભકામના પાઠવવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડને પણ શુભેચ્છા પાઠવી જોઈએ. તેમને શુભકામના પાઠવવાથી આપણે નાના નથી થઈ જતા પરંતુ જ્યારે તેમને આપણે દિવાળી વિશ કરીએ છીએ ત્યારે તેમના ચહેરા પર આવેલો આનંદ આપણને અંદરથી ખૂશી આપી જાય છે!      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!