ભાજપમાં થશે નવા જૂની? જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર સાધ્યું નિશાન! શું નિવેદનના માધ્યમથી જવાહર ચાવડાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:57:50

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાઓ પહોંચ્યા છે તેવું ધણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખા જ નડ્યા છે સૌથી વધારે. ભાજપના નેતાઓમાં રહેલો અસંતોષ ખુલ્લીને સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જે સાંભળ્યા બાદ લાગે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈક નવા જૂની કરી શકે છે.   

ભાજપના જ ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભુમિકા!

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવી મળી શકે છે. ભાજપના નેતાઓમાં ચાલતો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક નેતાઓની આવતી પ્રતિક્રિયા જાણે આ વાતને સંદેશો આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વખત ભાજપના ધારાસભ્યો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવે છે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી રજૂઆત કરે છે. 



મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ સાધ્યું નિશાન!

આ બધા વચ્ચે ટૂંક સમયમાં જો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની જોવા મળે તો પણ નવાઈ નહીં. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ મનસુખ માંડવિયા પર ખુલીને બોલ્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને  મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.     


 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.