ફરી ઉઠશે INDIA Vs BHARATનો મુદ્દો? G-20માં પીએમ મોદીના ટેબલ પર INDIAની જગ્યાએ લખાયું BHARAT, શું રાજનીતિ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:42:06

એક તરફ દેશને કયા નામથી બોલાવવામાં આવે તેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. BHARAT અને INDIAને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. જી-20ને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવતા આ મુદ્દો ગરમાયો હતો. દેશનું નામ બદલવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. રાજનીતિ ગરમાઈ રહ્યું છે.   


પીએમ મોદીની સીટ આગળ લખવામાં આવ્યું છે ભારત 

પરંતુ આ મામલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશનું નામ નહીં બદલવામાં આવે, આવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ આજે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે કારણ કે જી-20 સમિટથી એક તસવીર સામે આવી છે જેને લઈ નામને લઈ ચર્ચા ઉઠી છે. જે તસવીર સામે આવી છે તેમાં પીએમ જે જગ્યા પર બેઠા છે તેની આગળ ભારત લખવામાં આવ્યું છે. પીએમ મોદીની સીટ આગળ એક પ્લેટ મૂકવામાં આવી છે જેમાં ભારત લખવામાં આવ્યું છે.   


રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો નામનો મુદ્દો 

મહત્વનું છે કે હાલ દેશમાં ભારત અને ઈન્ડિયાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષનો એવા દાવો છે કે ઈન્ડિયા અયાન્સને કારણે સરકાર ડરી ગઈ છે. એટલે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. આમંત્રણ પત્રિકા જેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે તે સામે આવતા અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. 


ભારત લખાતા જયરામ રમેશે આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. તે સિવાય અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું રાજનીતિ ગરમાય છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.