Maldhariની પીડા સમજશે સરકાર? ઢોરવાડામાં પશુઓને છોડાવવા આવેલા માલધારીએ વર્ણવી પીડા, આંખોમાંથી છલકાતા આંસુ ઘણું બધું કહી દે છે!


  • Published By :
  • Published Date : 2023-09-09 18:16:29

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દે ગરમાઈ રહ્યો છે. રસ્તા પર રખડતા પશુનો ભોગ અનેક લોકોને, અનેક રાહદારીઓને બનવું પડતું હોય છે. અનેક લોકોના મોત પણ ગાયોની અડફેટે આવતા થઈ જતા હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાતમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઝુંબેશ ચાલી રહી છે રખડતા પશુઓને પકડવાની. ત્યારે ઢોરવાડાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પકડાયેલી ગાયોને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે ખુબ દયનિય છે. ગાય માટે પૂરતી જગ્યા નથી.

 

ચૂંટણી સમયે યાદ આવતી ગાય ચૂંટણી બાદ તમાશો બની જાય છે! 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને માતાની જેમ પૂજવામાં આવે છે. ગાયોના નામ પર અનેક વખત વોટ પણ માગવામાં આવે છે. ચૂંટણીનો મુદ્દો પણ ગાયોને બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય તે બાદ? ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગાય એક સમસ્યા બની જાય છે. એ વાતનો ઈન્કાર ન કરી શકીએ કે રસ્તા પર જોવા મળતા રખડતા પશુઓને કારણે લોકોના જીવ પર ખતરો નથી. ખતરો તો છે, પરંતુ ગાયને જીવવાનો અધિકાર પણ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને દયા આવી રહી છે. ગાયોને જે પરિસ્થિતિમાં રાખવામાં આવી છે તે ખૂબ દયનીય છે. 

માલધારીઓએ રડતા રડતા પોતાની વેદના રજૂ કરી 

ઢોરવાડાનો વીડિયો સામે આવ્યા બાદ જ્યારે જમાવટની ટીમે માલધારી લોકોનો સંપર્ક કર્યો હતો, તેમની પીડાને જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના દ્વારા કહેવાયા શબ્દોમાં તેમની પીડા દેખાઈ રહી હતી. ગાયને છોડાવવા માટે આવેલા માલધારી દાદાએ રડતા રડતા પોતાની પીડાને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ અને કોર્પોરેશન અમને દબાવે છે અને મારવા આવે છે. 50 -50 લાખોની ગાયોની જવાબદારી કોર્પોરેશન નથી લેતું. તે સિવાય માલધારી સમાજના લોકોએ ગોચર જમીનની માગ સરકાર પાસે કરી છે. તેમણે કહ્યું કે ગાયો અમારૂં ધન છે અને અમારી સામે એ ધન લૂંટાઈ રહ્યું છે... 

લોકોના જીવન પર રહેતું હોય છે રખડતા ઢોરને કારણે સંકટ         

મહત્વનું છે કે માલધારીઓની સમસ્યા અંગે સરકાર નથી સમજી રહી તો બીજી તરફ સામાન્ય નાગરિકોની પીડાને પણ નથી સમજી રહી. રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ટીમ રખડતા ઢોરને પકડવા આવે છે ત્યારે જે રીતે ઢોર માલિકો પશુને દોડાવે છે તેને કારણે લોકોના જીવન પર સંકટ તોળાતું હોય છે. ત્યારે એવો કોઈ માર્ગ નિકળે કે માલધારી સમાજના લોકોને પણ નુકસાન ન થાય, ગાયોને પણ નુકસાન ન થાય અને સામાન્ય નાગરીકને પણ ભોગવવાનો વારો ન આવે...!  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!