કરણી સેનાના અલ્ટિમેટમ બાદ શું સરકાર લેશે કોઈ પગલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:30:09

ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર અનેક આંદોલનને શાંત કરવામાં સફળ ગઈ છે . ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 500 કરોડ સહાય આપવાની જાહેરાત બાદ પણ હજી સુધી પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા છે. સરકાર દ્વારા સહાય ન મળતા તેઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પોતાના આંદોલનને વેગ આપવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હવે તેમના સમર્થનમાં કરણી સેના આવી છે. સરકારને અલ્ટિમેટમ આપી સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  



કરણી સેનાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અનેક કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલાને શાંત પાડી સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા કરણી સેના પણ પહોંચી છે. કરણી સેનાએ સમર્થનમાં આવી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે કહ્યું કે ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌ-સેવા માટે જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં મળે ત્યાં સુધી અમે તેમના સમર્થનમાં રહીશું. 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના , સૌરાષ્ટ્ર પ્રાંત - Home | Facebook


અનેક વખત ગૌ-શાળા સંચાલકો આપી ચૂક્યા છે ચેતવણી

સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ 500 કરોડ ન મળતા ગૌ-શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તેમણે જલ્દી સહાય આપે તે માટે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમય અવધી પૂરી થતા ગૌ-શાળા સંચાલકોએ પોતાની ગાયોને રસ્તા પર છોડી મૂકી હતી. પરંતુ તે બાદ પણ સહાય ન મળતા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 101 લોકોએ મુંડન કરાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.