શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો કોરોના અંગે શું કહી રહ્યા છે નિષ્ણાંતો


  • Published By :
  • Published Date : 2023-01-05 10:23:13

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. ચીનમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ઓડિશાના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્પેશલ સેક્રેટરીએ એવી સંભાવના વ્યક્ત કરી છે જે અનુસાર ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.


Rural Ahmedabad: 4 talukas account for 84% of Covid cases | Cities News,The  Indian Express


ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. ભારતમાં પણ કોરોના કેસ માથુ ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે.  XBB 1.5 વેરિઅન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેના પણ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં ચોથી લહેર આવી શકે છે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.    


આ રાજ્યોમાં નોંધાયા આટલા કોરોનાના કેસ 

દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કોરોના કેસની વાત કરીએ તો કેરળમાં નવા 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 16 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. સંક્રમિતોનો આંકડો વધતા તંત્રની ચિંતા વધી છે. આગામી સમયમાં કોરોનાને કારણે વધુ લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.