શું હવે આ તારીખે લેવાશે તલાટીની પરીક્ષા? હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:12:35

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ મુજબ પરીક્ષા 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.


23 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

ઉલ્લેખનિય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યાં હતા કે આ પરીક્ષા 23 એપ્રિલે લેવાની સંભાવના છે, પણ હસમુખ પટેલના આ ટ્વિટ બાદ એ સંભાવનાઓ હવે રહી જ નથી કે 23 એપ્રિલે આ પરીક્ષા લેવાશે, તેને બદલે હવે 30 એપ્રિલે આ તલાટીની પરીક્ષાઓ લેવાય તેવી સંપૂર્ણેપણે સંભાવના દેખાઈ રહી છે. 


આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી 

પસંદગી મંડળ દ્વારા લેવાતી આ ક્લાસ થ્રીની પરીક્ષાઓ રાજ્યના 33 જિલ્લામાં 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષાઓ લેવામાં આવશે, આ પરીક્ષાઓ માટે જાન્યુઆરી 2022માં કુલ 23 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી હાલ માત્ર 17.20 લાખ જેટલા ફોર્મને જ માન્ય રખાયા છે, જ્યારે બાકીના ફોર્મને યોગ્ય લાયકતા પૂરી ન કરવાને કારણે અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે આ ફોર્મ્સ રદ્દ કરવામાં આવ્યાં હતા, જેથી મંડળને હાલ આ પરીક્ષા લેવા માટે કુલ 61 હજાર જેટલાં વર્ગખંડોની જરુર પડવાની છે, અને તે માટે IPS હસમુખ પટેલે કહ્યું એ મુજબ મંડળ હાલ પરીક્ષાના કેન્દ્રો ફાઈનલ કરવા માટે કામ કરી રહ્યું છે, જો એ કેન્દ્ર ફાઈનલ થઈ જશે, તે પછી આવનારા દિવસોમાં 30 એપ્રિલને જ એ પરીક્ષાની ફાઈનલ ડેટ ડિક્લેર કરવામાં આવી શકે,




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.