શું ફરી તારક મહેતાના રોલમાં જોવા મળશે શૈલેષ લોઢા?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:20:02

દરેક લોકોના દિલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ પોતાની જગ્યા બનાવી દીધી છે. દરેક ઉંમરના લોકોએ આ શોને જોવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. તારક મહેતા ઉર્ફે શેલૈષ લોઢાએ પણ શોને ખાસા ટાઈમ પહેલા અલવિદા કહી દીધું હતું. ત્યારે શોના ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જેમાં મહેતા સાહેબ દેખાઈ રહ્યા છે. તેમની આ તસવીર સામે આવતા દર્શકોને એક આશા જાગી છે કે શૈલેષ લોઢા ફરી એક વખત શોમાં દેખાઈ શકે છે.


અનેક એક્ટરોએ છોડી દીધો છે શો

છેલ્લા અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પૂરૂ પાડી રહ્યું છે. પરિવાર સાથે જોઈ શકાય તવી આ સિરિયલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિરિયલના મુખ્ય પાત્રો શોને છોડી રહ્યા છે. તેમાં દયાભાભી, અંજલી મહેતા, સોઢી, મહેતા સાહેબ સહિતના કલાકારો શોને છોડી દીધો છે. શોના મેકર્સે બધા કલાકારોના રિપેસ્ટમેન્ટ શોધી કાઢ્યા છે. 

Shailesh Lodha talks about why he quit Taarak Mehta ka Ooltah Chashmah -  Hindustan Times

શું ફરી શોમાં આવશે શૈલેષ લોઢા 

શોમાં નવા અનેક પાત્રો આવ્યા છે. પરંતુ હજી સુધી દયાભાભીનું રિપેલ્સમેન્ટ નથી મળ્યું. એવું પણ માનવામાં આવતું હતું કે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને મેકર્સ મનાવી લેશે. પરંતુ તેમણે શોને છોડી દીધો હતો. અને તેમનું રિપેલ્સમેન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે શૈલેષ પાછા નહીં ફરે. પરંતુ એક ફોટાને કારણે એવું ફરી એક વખત ચર્ચાઈ રહ્યું છે કે તેવો શોમાં પાછા ફરી શકે છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે