શું પ્રવીણ તોગડિયા કરશે ઘર વાપસી? Mohan Bhagwat અને પ્રવીણ તોગડિયા વચ્ચે થઈ બંધ બારણે બેઠક, શેની ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2024-10-15 13:47:12

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવત અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વચ્ચે મુલાકાત થઈ હતી.. મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા વચ્ચે સંઘ મુખ્યાલયમાં બંધ બારણે બેઠક થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. આ મુલાકાતને લઈ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રાજનીતિને લઈ વાતો થઈ પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી... 



મોહન ભાગવતને મળવા માટે પહોંચ્યા પ્રવીણ તોગડિયા

નાગપુર ખાતે સ્થિત આરએસએસ મુખ્યાલય 6 વર્ષ પછી પ્રવીણ તોગડિયા આરએસએસ મુખ્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી તેવી વાત પ્રવીણ તોગડિયા દ્વારા કરવામાં આવી છે.. બાંગ્લાદેશમાં હિંદુઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિષય પર વાત થઈ હતી.. તે સિવાય હિંદુત્વને લઈને પણ ચર્ચાઓ થઈ છે.. 


શું કહ્યું પ્રવીણ તોગડિયાએ?

પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન  જણાવ્યું હતું કે અમે અનેક વિષયો પર ચર્ચા કરી ખાસ કરીને વિદેશોમાં રહેતા હિંદુઓની પરિસ્થિતિ વિષયે.. હિંદુત્વને લઈ આરએસએસની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઓવેસિ સાથે મુલાકાત તો કરવાનો ન હતો, હિંદુ લીડર તરીકે હું મોહન ભાગવત સાથે જ મુલાકાત કરૂં.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને જણાવજો...  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે