લાખો બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે? મધ્યાહન ભોજન માટે અનાજની ઘટ, અનેક મહિનાઓથી નથી પહોંચ્યો અનાજનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-13 14:46:19

વાઈબ્રન્ટ ગુજરાત મામલે સમાચાર આવ્યા છે કે રાજ્યના મધ્યાહન  ભોજન કેન્દ્રોમાં અનાજના જથ્થા પૂરા થઈ રહ્યા છે. આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે ધ્યાન દોર્યું છે કે જો અનાજ આપવામાં નહીં આવે તો પછી મધ્યાહન ભોજનના અનેક કેન્દ્રો બંધ કરવા પડશે અને જો એવું થશે તો નાના બાળકો ભૂખ્યા રહેશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના વધુ એક મુદ્દા વિશે બોલવું અને લોકો સુધી માહિતી પહોંચાડવી એટલા માટે અતિ જરૂરી છે કારણ કે જો આજ નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ થઈ જશે.  

રાજકોટ જિલ્લામાં આજથી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરુ, બાળકોને મેનુ મુજબ  અનાજની ફાળવણી જ થઇ નથી | In Rajkot district, the mid-day meal scheme has  started in schools from ...

લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે... 

સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મધ્યાહન ભોજનનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. જો હવે જથ્થો આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ એવી થશે કે શાળામાં ભણતા ભૂલકાઓ ભુખ્યા રહેશે. વાત એમ છે કે ઘણા બધા જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. અનેક જિલ્લામાં દાળ ખતમ થઈ ગઈ છે અને અમુક જિલ્લામાં હજુ જથ્થો પહોંચવાનો જ બાકી છે. આના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જો દાળ અને અનાજ પહોંચાડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક મધ્યાહન કેન્દ્રો બંધ થઈ જશે. અને જો આવું થશે તો લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે. 

બાળકોને ભોજન મળે તે હતો યોજનાનો હેતુ

આપણે જાણીએ કે એવું કહેવામાં આવે છે કે મધ્યાહન ભોજન શરૂ કરવા પાછળનું કારણ એવું હતું કે નાના બાળકો શાળામાં ભણવા આવે. પહેલા છોકરાઓ ભણવા નહોતા આવતા. પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે મા બાપ છોકરાઓને કામ કરવા માટે લઈ જતા હતા કે એક ટંક જમવાનું થઈ રહે. પછી સરકારે વિચાર્યું કે બાળકોને કામ કરાવીને માબાપ રોટી માટે મહેનત કરે છે તો બાળકોને શાળામાં જ જમવાનું આપી દેવામાં આવે તો કેવું રહે? એટલે છોકરાઓ ભણવા પણ આવશે અને તેમને જમવાનું પણ મળી રહેશે. અને પછી શરૂ થાય છે મધ્યાહન ભોજન. આવી વાતો કહેવામાં આવે છે. 

Mid Day Meal: છેલ્લા એક મહિનાથી મધ્યાહન ભોજનમાંથી તુવેર દાળ ગાયબ, પુરવઠા  મામલતદારે કર્યો ખુલાસો,  tuvardal-missing-from-mid-day-meal-for-the-last-one-month-supply-manager-revealed

કુપોષણમાં ગુજરાત બીજા રાજ્યોની તુલનામાં આગળ છે!

એક તો ગુજરાતમાં બીજા રાજ્યોની તુલનામાં કુપોષણ ખૂબ વધારે છે એવું સંસદમાં જ મંત્રી દ્વારા બોલવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક આહાર આપતી મધ્યાહન ભોજન યોજના જ બંધ કરી દેવામાં એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થશે તો તમે શિક્ષણની વ્યવસ્થા ક્યાં લઈ જઈ રહ્યા છો એ મામલે એકવાર વિચારવું પડશે. સરકાર એટલા માટે છે કારણ કે લોકોની સુખાકારી થાય. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!