વાઘોડિયા બેઠક પરથી લડશે Madhu Shrivastav? Shaktisinh Gohil જોડે થઈ બેઠક, જાણો શું વાત થઈ?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:06:36

એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર કોણ હશે તેની ચર્ચાઓ થઈ રહી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તો મતદાન થવાનું છે જ પરંતુ પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ભાજપે પહેલેથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસ પણ આ ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે તેવું લાગી રહ્યું છે.   

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ આપશે મધુ શ્રીવાસ્તવને ટિકીટ?

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચૂંટણી હવે નજીક છે તો ક્યાંક ભાજપમાં ડખો છે તો ક્યાંક ઉમેદવારો સામે લોકોની નારાજગી. અને રાજકોટ લોકસભા બેઠકની તો વાત જ જુદી છે અને આ બધા વચ્ચે વડોદરામાં પણ કંઈક નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે કારણકે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકીટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે થઈ હતી બેઠક 

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. વાઘોડિયાના ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાઈ ગયું છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બેઠક થઈ હતી.  


 મધુ શ્રીવાસ્તવે કહ્યું કે... 

પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગઈકાલે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા પહોંચ્યા હતા. જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. જેની સામે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપથી છેડો ફાડ્યાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકીટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?

શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી. ત્યારે જોવું રહ્યું કે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે જાહેર કરે છે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.