ભાજપની પીચ પર કેજરીવાલ બેટીંગ કરી શકશે?Ayodhya પહોંચ્યા પણ વિચારધારાની લાઈનમાં ક્યાં ઉભી છે AAP?


  • Published By :
  • Published Date : 2024-02-13 12:41:13

ભગવાનના રામને લઈ અનેક વખત રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. આપણી સામે એવા અનેક કિસ્સાઓ જેમાં રાજકીય પક્ષ રામના નામ પર તરી ગયા છે! પરંતુ અનેક રાજકીય પક્ષ એવા છે જેની વિચારધારા પર કન્ફન્યુઝન હજી પણ છે...!ખબર નથી પડતી કે રામ મંદિરના સમર્થનમાં છે કે રામ મંદિરના વિરોધમાં! અહીંયા વાત થઈ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની. બંને મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે રામ લલ્લાના દર્શન કરવા માટે ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિના તેમણે દર્શન કર્યા. 

અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે કર્યા રામ લલ્લના દર્શન! 

અયોધ્યામાં બનેલુ રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક મોટી હસ્તીઓ આ સમારોહમાં સંમેલિત થઈ હતી. અનેક રાજકીય નેતાઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને અનેક નેતાઓએ અયોધ્યા જવાનું ટાળ્યું હતું. તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા કે જેઓ અયોધ્યા ગયા ન હતા. ના જવા પાછળનું તેમણે કારણ પણ આપ્યું હતું. પરિવાર સાથે તેઓ જશે તેવી વાત તેમણે કહી હતી, ત્યારે ગઈકાલે પરિવાર સાથે અરવિંદ કેજરીવાલ અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે રામ લલ્લાના દર્શન કર્યા હતા. 

આપની જુની પોસ્ટ સોશિયલ મીડિયા પર થયો વાયરલ! 

અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે રામ લલ્લાના દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામ ભગવાનના દર્શન કરીને અત્યંત શાંતિનો અનુભવ થયો , બહુ સારૂં લાગ્યું. અનુભૂતિનું વર્ણન શબ્દોમાં નહીં કરી શકાય. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કરવમાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. એ વાયરલ ટ્વિટને મસ્જિદ સાથે જોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં અને અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઘણો અંતર છે!  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.