Navratriના બીજા દિવસે આવશે વરસાદ? ખેલૈયાઓના રંગને વરસાદ કરશે ભંગ! જાણો Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:54:51

ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને ગરબાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.  વરસાદને સત્તાવાર રીતે તો વિદાય લઈ લીધી છે પરંતુ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઘણા સમયથી એવી આગાહી કરવામાં આવી રહી હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. નવલા નોરતા દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એવી પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ ખાતે રમાનારી ભારત પાકિસ્તાન મેચમાં પણ વરસાદ આવશે પરંતુ તે દિવસે મેચના રંગમાં ભંગ પાડવા વરસાદ ન આવ્યો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હજી પણ કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થોડા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અરવલ્લીમાં, મહીસાગર ઉપરાંત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. હળવા વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાનો છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.   

ચક્રવાત આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બિપોરજોય જેવું ચક્રવાત આવશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ કાકાની ગણતરી મુજબ 16 અને 17 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે. આ તારીખો દરમિયાન આણંદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


ગઈકાલે વરસાદે પાડ્યો હતો ખેલૈયાઓના રંગમાં ભંગ 

નવરાત્રી પહેલા જ અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. જૂનાગઢથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દાહોદમાં, અરવલ્લીમાં વરસાદ આવ્યો હતો જેને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ થવાને કારણે અનેક પાકો નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ ન થાય તો પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે, અતિશય વરસાદ થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. કમોસમી વરસાદ થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!