Gujaratમાં પડશે ઠંડી કે આવશે કમોસમી વરસાદ? જાણો હવામાનને લઈ શું કહે છે હવામાન વિભાગની આગાહી અને Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:34:31

રાજ્યમાં ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. બપોરના સમયે પંખો ચાલૂ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે એટલો રસ્તો ધુમ્મસથી ઢંકાઈ જતો હોય તેવું લાગે છે. ત્યારે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.



ક્યાં કેટલું તાપમાન નોંધાયું?  

ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે લાગતો તડકો હવે મીઠો નહીં પરંતુ તીખો લાગે છે. બપોરના સમયે પંખો ચાલું રાખતા લોકો થઈ ગયા છે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, સુરતનું તાપમાન 19.5 પર જ્યારે વલસાડનું તાપમાન 15.4 નોંધાયું હતું. જે જગ્યા ગુજરાતની સૌથી વધારે ઠંડી માનવામાં આવતી હતી તેનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમે વાત કરી રહ્યા છીએ નલિયાની. નલિયાનું તાપમાન સૌથી ઓછું હોય છે પરંતુ ત્યાનું તાપમાન પણ વધી રહ્યું છે. ભુજનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. અનેક વખત માવઠાને કારણે પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી પ્રમાણે 3થી 5 ફ્રેબ્રુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.  અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.