વાવમાં કોંગ્રેસનું 'ગુલાબ' ખિલશે કે ભાજપનું 'કમળ'? બંને પક્ષે ઉમેદવારો કર્યા જાહેર


  • Published By :
  • Published Date : 2024-10-25 17:01:18

ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહે છે.. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વાવ બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા પરંતુ તે સાંસદ બની ચૂક્યા છે જેને કારણે તે બેઠક ખાલી પડી હતી અને ત્યાં હવે પેટા ચૂંટણી યોજાવાની છે.. કોંગ્રેસ તેમજ ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે... કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે... 

કયા ઉમેદવારની થશે જીત?

આજે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.. પાર્ટી કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર હતી.. બંને પાર્ટી દ્વારા સસ્પેન્સ જાણે રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું.. ભાજપમાં અમીરામ આશલ સિવાય ભાજપમાંથી અન્ય 4 દાવેદારોનાં નામ આગળ ચાલી રહ્યાં હતાં.... પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, 2022ની ચૂંટણીમાં ગેનીબેન સામે હારનો સામનો કરનારા સ્વરૂપજી ઠાકોર, વાવના રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યાં હતા પણ ટિકિટ સ્વરુપજીને મળી છે... તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવાનું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે? 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .