BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જ રહેશે કે બદલાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:22:40

આજે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી બન્યા રહેશે કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પદાધિકારીઓ વચ્ચે કુલિંગ ઓફ સમયને સમાપ્ત કરવામાં નહીં આવે. સૌરવ ગાંગુલી સહતિ 6 અધિકારીઓના ભવિષ્ય મામલે આજે નિર્ણય લેવામાં આવશે. 


શું હોય છે કુલિંગ ઓફ પીરિયડ?

6 વર્ષ પૂરા થવાની સાથે જ BCCIના પદાધિકારી કોઈ પણ પદ પર બન્યા રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય થઈ જાય છે. વર્ષ 2018માં લોઢા સમિતિએ નિર્ણય લેતા જણાવ્યું હતું કે કોઈ પણ પદાધિકારી સતત 6 વર્ષ સુધી પદ પર રહેશે તો તેમને 3 વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે. 3 વર્ષ તેમને કોઈ પણ પદ પર નહીં રાખી શકાય તે સમયગાળાને કુલિંગ ઓફ પીરિયડ ગણાય છે. 


BCCI સચિવ જય શાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિતના સદસ્યોએ સતત છ વર્ષોથી અનેક પદો પર પદભાર સંભાળી રહ્યા છે. જેના કારણે તેમને કુલિંગ ઑફ પીરિયડમાં જવું પડશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે