વેક્સિનની આડ અસરને કારણે 'કોવિશિલ્ડ' બનાવતી કંપની AstraZeneca વિશ્વભરમાંથી તેની કોરોના રસી પાછી ખેંચી લેશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-08 13:33:09

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે.. કોવિશિલ્ડ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે વેક્સિનને લઈ.. આ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની હવે વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચી રહી છે કારણ કે આ વેક્સિનને લઈ બબાલ ચાલી રહી છે....  

કોર્ટમાં કંપનીએ સ્વીકાર કર્યો હતો કે... 

થોડા વર્ષો પહેલા કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો.. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા.. તે વખતે એવી વાતો થતી કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે... આ બધા વચ્ચે થોડા સમય પહેલા કંપનીએ કાર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની રસીને કારણે લોહી ગંઠાવવું જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.. આ બાદ અનેક લોકોમાં વેક્સિનને લઈ ડર બેસી ગયો છે.. 


કંપનીએ નિર્ણય લીધો કે.. 

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કંપનીએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે હવે રસીનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. મહત્વનું છે કે આ લિસ્ટમાં ભારતની કોરોના વેક્સિન કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે... 



કંપની દ્વારા આપવામાં આવ્યું આ કારણ..  

કંપની દ્વારા આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે પણ જણાવવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર AstraZeneca દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આડ અસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વ્યાપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. 



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .