શૂં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ સિધી જઈ દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરશે? જેટલું અસમંજસ આટલા વર્ષોમાં નહીં થયું તેટલું અસમંજસ હમણાં થતું હશે દશમતને..


  • Published By :
  • Published Date : 2023-07-08 15:15:23

કેટલું ભયાનક છે માનવતાને તાર તાર કરી દેતી ઘટનાનું તમાશો બની જવું. કેટલું ભયાનક છે એ તમાશામાં પક્ષ માત્રને સામેલ થતા જોવુ. પીપલી લાઈવ ફિલ્મ જોઈ છે. ના જોઈ હોઈ તો જોઈ લેજો. 13 વર્ષ થયા એ કહાનીને, દર્શાવવામાં આવી હતી નથ્થા નામે ખેડૂતની દારૂણ વાસ્તવિકતા પણ 13 વર્ષ પછી ય સમાજ. સરકાર, કે મીડિયા કશું બદલાયું હોય એમ લાગે છે? 

એ ઘટના જ ભયાનકતાની પરાકાષ્ઠા હતી જ્યારે પ્રવેશ શુક્લા દારુ અને સત્તાના નશામાં ચકનાચુર થઈને અસ્થીર મગજના આદિવાસી દશમત પર પેશાબ કરી રહ્યો હતો. પણ એના પછી આટલા દિવસ સુધી જે થઈ રહ્યું છે એ તો એનાથી પણ ભયાનક છે. સૌથી પહેલા દશમત રાવતનું સોગંદનામું આવવું અને વીડિયો હોવા છતાં પણ એણે કશું જ નથી કર્યું એવું ફરમાન કરી દેવું. કેટલુ સરળ હોય છે ગરીબની ઈજ્જત, સન્માન અને પછી એનું સત્ય પણ એની પાસેથી ખરીદી લેવું. ખરીદી ના શકાય તો છીનવી લેવું. આટલું થયું એ પણ ઓછું હોય એમ સન્માન આપવાના નામે સતત આટલા દિવસોથી દશમત રાવતના તમાશા થઈ રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી આવાસ પર એના ચરણ પખાળવા, પછી એને પકવાનોનું ભોજન પીરસવું. દશમતને સવાલ કર્યો કે મુખ્યમંત્રીને મળ્યા પછી શું કહેશો તો દશમત શું કહેવાનો.... કદાચ એણે પહેલા ભોપાલ જોયું પણ નહીં હોય અને હવે એ સીધા મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. એણે કહ્યું કે મંત્રીને મળ્યો, સારુ લાગ્યુ, હવે પાછો જાવ છું. જે થયું એ થયું. એનાથી વિશેષ એ શું કહેવાનો. આ એ દશમત છે જેના પર પેલો પ્રવેશ પેશાબ કરતો હતો છતાંય એણે પ્રતિકાર સુદ્ધા નહોતો કર્યો. પછી દશમત પાછો સીધી પહોંચ્યો તો કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પહોંચ્યા અને એને ગંગાજળથી પવિત્ર કર્યો.

  

 

શું આ ખરેખર એની સાથે ન્યાય થઈ રહ્યો છે? ચૂંટણી પુરી થઈ જશે પછી શું આમાંથી કોઈ સીધી જિલ્લામાં જઈને દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકવાના છે? એની કેટલી ભયાનક મજબૂરી હશે કે એણે કહેવું પડ્યું કે પ્રવેશને એની ભુલનો અહેસાસ છે તો એની પર કાર્યવાહી ના થવી જોઈએ. 

સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે!

એના પર પેશાબ કરવામાં આવ્યો ત્યારે એને જે અપમાન મહેસુસ નહીં થયું હોય એટલી અસમંજસ દશમતને છેલ્લા થોડા દિવસોથી થતી હશે... વર્ષોના વર્ષો યુગોના યુગો બદલાયા પણ શું કામ આત્મસન્માન આપવાના નામે આજે પણ એના સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે. શું આ એની સાથે ન્યાય થઈ રહ્યો છે. સર્કસમાં વાંદરાને મનમરજી પ્રમાણે નચાડો કે પ્રાણીઓનું પ્રદર્શન કરો એનાથી વિશેષ શું થઈ રહ્યું છે. વાસી વિચાર અને કાળા વિચારોથી વિશેષ આ રાજનીતિ એને કશું જ નથી પીરસી રહી. ખરેખર માણસને ઈશ્વર બનાવી નાખવું સરળ છે પણ એને માણસ સમજવું મુશ્કેલ એ સાબિત થઈ રહ્યું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!