કોરોનાની દહેશત વચ્ચે શું AMC કરશે કાંકરિયા કાર્નિવલનું આયોજન??


  • Published By :
  • Published Date : 2022-12-23 15:12:22

કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. ભારતમાં પણ કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. કોરોના કેસને જોતા ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે. કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં તેને લઈ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.


કોરોના કેસ વધતા તંત્ર દોડતું થયું 

અમદાવાદના કાંકરિયામાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મોટા પાયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણ ઘટતા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ દોડતું થયું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. ગુજરાત સરકારે પણ કોરોનાની ગંભીરતાને લઈ બેઠકનું આયોજન કર્યું હતું. 


શું તંત્ર યોજશે કાંકરિયા કાર્નિવલ?

આવનાર સમયમાં કોરોના કેસમાં પણ વધારો આવી શકે છે. સરકાર પણ કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે માટે વિચારણા કરી રહી છે. આ કાર્નિવલમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. એક તરફ સરકાર મોટી સંખ્યામાં એકત્ર કરવા માટે ના પાડી રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ મોટો મેળાવડાનું આયોજન કરવા જઈ રહી છે. વધતા કોરોના કેસને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંતો માની રહ્યા છે કે આટલા મોટા મેળાડવા ટાળવા જોઈએ.ત્યારે સરકાર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરશે કે નહીં તે અંગે લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.