શું અમદાવાદની પણ થશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? દર વર્ષે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-16 13:03:56

જોશીમઠમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જમીન ઘસી રહી છે. જેને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ઈસરોએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. જોશીમઠ, નૈનીતાલ, શિમલા કે એવા શહેરો જે દરિયા કિનારે વસ્યા છે ત્યાંની જમીન ધીરે ધીરે ધસી રહી છે. તે સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો ધોવાઈ રહ્યા છે.


દર વર્ષે અનેક mm ધસેલાઈ રહી છે જમીન

ઉત્તરાખંડનું જોશીમઠ સંકટોમાં ઘેરાયેલું છે. આફતોનો સામનો કરી રહ્યું છે. જોશીમઠની જમીન ધસી રહી છે જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. પરંતુ શું તમને ખબર છે કે ન માત્ર જોશીમઠની જમીન પરંતુ અમદાવાદની જમીન પર ધલેકાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટીમિટર અંદર ધકેલાઈ રહ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ બીજા અનેક વિસ્તારો પણ દર વર્ષે કેટલાય સેન્ટીમિટર ડૂબી રહ્યા છે. 25મીમી જમીન દર વર્ષે ધસી રહી છે. 


અમદાવાદ સહિત અનેક વિસ્તારો ધસેલાઈ રહ્યા છે જમીનમાં  

દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે પાણીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અનેક કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. અનેક કિલોમીટરના પટ્ટા પર ધોવાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાની જમીન જે આવનાર હજાર વર્ષો બાદ ધસવાની હતી તે હમણાંથી ધસી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે પોતાના 313 હેક્ટર જમીન ગુમાવી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.