અભિનેતા વિક્રમ ઠાકોર શું આમ આદમી પાર્ટીમાં જોડાશે, દિલ્હી મળવા માટે કોણે બોલાવ્યા?


  • Published By : Admin
  • Published Date : 2025-03-29 16:14:55

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે... ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે નેતાઓની ચાલ પર ચાલી રહ્યાં છે વિક્રમભાઈ. સમાજ કહેશે તેમ કરીશ તેવી વાતો સતત એમના તરફથી કરવામાં આવી. હવે તેમને દિલ્હીથી ફોન પણ આવ્યો છે. અને મળવા બોલાવ્યા છે. 

ઉત્તર ગુજરાત આખામાં કોઈપણ ગલીમાં પુછી લો વિક્રમ ઠાકોર એટલે કોણ . તો સૌ કોઈ ઓળખે એટલી ખ્યાતી અભિનેતા વિક્રમ ઠાકોર ધરાવે છે. વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કર્યા અને વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એટલે સમાજનું નામ લઈ સમાજના કોઈપણ કલાકારને ન બોલાવ્યો એવી વાત કરી પોતાની નારાજગી વ્યક્તિ કરી. પત્રકારોએ સવાલ કર્યો કે હવે સરકાર બોલાવશે તો જશો. એટલે હા કે ના પાડવાને બદલે વિક્રમભાઈએ રાજનેતાની જેમ જવાબ આપ્યો સમાજ કહેશે તેમ કરીશ. આ અણસાર એટલી ખાતરી તો ચોક્કસથી આપી રહ્યાં હતા કે આજે નહીં તો કાલે વિક્રમભાઈ રાજનીતિમાં જવાના મૂડમાં તો જરુર છે. સરકારે સ્વીકાર કર્યો કે અચાનક કાર્યક્રમ નક્કી થયો તેમા રહી ગયુંહશે. ફરી સરકારે કાર્યક્રમ ગોઠવ્યો વિશ્વ રંગભૂમિ દિવસ પર કલાકારો, ફિલ્મી હસ્તીઓ અને સંગીતવિદોને બોલાવીને સન્માનિત કરવાનો. વિક્રમ ઠાકોરે સામાજિક પ્રસંગમાં હોવાની વાત કહીને ન ગયા. આ બધાની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને મળતા પણ દેખાયા, શુભેચ્છા મેળવતા દેખાયા. સરકારમાં જોડાયેલા અભિનેતા હિતુ કનોડિયાએ કહ્યું, સૌથી પહેલું આમંત્રણ સરકારે વિક્રમભાઈને આપ્યું પણ એમનું કન્ફોર્મેશન આવ્યું નથી. 

વિક્રમભાઈએ તો કહ્યું નહીં કે આમંત્રણ આવ્યુ જ નથી પણ નવઘણજી ઠાકોર મેદાને આવ્યા ને બોલ્યા કે વિક્રમભાઈને તો સરકારે આમંત્રણ આપ્યું જ નથી. હવે દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં એ જોવાનું રહેશે. 

વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે. કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા. 

પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.

ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર બહુ જ લોકપ્રિય છે. ઠાકોર સમાજમાં પણ ખુબ મોટુ નામ છે. સવાલ એ છે કે શું વિક્રમ ઠાકોરની નારાજગીનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવી ઉત્તર ગુજરાતમાં મજબુત થવા માંગે છે.  વિક્રમ ઠાકોરને ઈસુદાન ગઢવી મળ્યા, આપનું નેતૃત્વ મળ્યુ અને હવે અરવિંદ કેજરીવાલે ફોન પણકર્યો અને મળવા માટે પણ બોલાવ્યા. સામાન્ય સંજોગોમાં આ બહુ જ સ્વાભાવિક બનતી ઘટના છે. પણ નારાજગી હોય અને એમના કહેવાથી જ્યારે આખો ઠાકોર સમાજ ભેગો થતો હોય તેમના માટે ત્યારે આમ આદમી પાર્ટીનું એક્ટિવ થવું બહુ જ મોટી વાત છે. 2022માં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો જીતી ગયા. ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા અને વિસાવદરથી ભૂપત ભાયાણ જોકે ભાયાણી તો રાજીનામુ આપીને ભાજપમાં જોડાય ગયા..પણ ત્રણ અકબંધ છે. દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા દેડીયાપાડાથી ધારાસભ્ય છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.. આ રાજનીતિ છે અને અહીંયા બધુ જ શક્ય છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.