ભારતમાં હવે જોવા મળશે જંગલી ચિત્તા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:00:20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારે 10:45  વાગ્યે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ભારતમાંથી લુપ્ત થયેલા જંગલી ચિત્તાને ખુલ્લા મૂકશે. બપોરે 12 કલાકે શ્યોપુરમાં મહિલાઓના SHG સંમેલનમાં સંબોધન કરશે. 


આજે પ્રધાનમંત્રી SCO બેઠક માટે વિદેશ મુલાકાતે છે

આજે પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈજેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવાના છે. 16 સપ્ટેમ્બરે સમરકંદથી ભારત પરત રવાના થશે. ભારત આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ જશે. 


કુનો નેશનલ પાર્કમાં જોવા મળશે જંગલી ચિત્તા  

સરકારના આંકડાઓ મુજબ ચિત્તાઓ 1952થી ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ નામીબિયાથી ચિત્તા મગાવાયા છે જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.