કેમ કરવામાં આવે છે તિલક અને શા માટે લગાડવામાં આવે છે અક્ષત?


  • Published By :
  • Published Date : 2022-12-15 16:34:49

આપણે ત્યાં જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન તિલક કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન તેમજ હળદરનું તિલક કરતા હોય છે. ત્યારે બંને આઈબ્રો વચ્ચે ચાંદલો કરાયા પછી અક્ષત લગાડવામાં આવે છે એ શું તમે જાણો છો?

આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ ત્યારે ચાંદલો અવશ્ય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જતા પહેલા પણ તિલક કરવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે તિલક કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા વધે છે. ઉપરાંત મનને શાંતિ પણ મળે છે. ચાંદલો કર્યા પછી અક્ષત લગાડવામાં આવે છે. અક્ષતને શ્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે.  

ભાઈબીજની તિથિ પર ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ જાણો

શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પણ અક્ષત અર્પણ કરવામાં આવે છે. ચોખાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 

ચંદનનું તિલક કરવાથી શાંતિ મળે છે. કેસર-ચંદનનું તિલક કરવાથી વિચક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ હળદરનું તિલક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત અનેક લોકો ભસ્મનું તિલક પણ કરે છે. ભસ્મ તિલક કરવાથી નિર્મોહીપણું આવે છે જ્યારે કંકુનું તિલક કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

તિલક નું શું મહત્વ છે કેમ કરવામાં આવે છે તિલક The importance of tilak is  why tilak is done - YouTube

ચાંદલાનું તો મહત્વ રહેલું છે પરંતુ કંઈ આંગળીથી કરવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અનામિકા આંગળીથી તિલક કરવાથી મનને શાંતિ મળે છે. મધ્યમા આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક પુષ્ટિ દાયક હોય છે. તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.