શા માટે ઈસુદાને ટ્વીટ કરી વડોદરા કોર્પોરેશન પર કર્યા પ્રહાર?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:23:05

અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા મુલાકાતે હતા ત્યારે તેમણે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન પર પ્રહારો કર્યા છે. 


ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કરી?

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જે નવનીત કાકાએ કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપ્યો હતો તેનો હોલ તોડવા માટે વડોદરા મહાનગરપાલિકા નોટિસ વગર બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ગેરકાયદેસર ઈમારતોને તોડવા નથી આવતી પણ નવનીત કાકા જેવા સારા માણસને પરેશાન કરે છે


ગેરકાયદેસર બાંધકામ હોય તો કોર્પોરેશન તોડશેઃ કેયૂર રોકડિયા 

જમાવટે જ્યારે સમગ્ર મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા માટે કામગીરી કરવા માટે કોર્પોરેશન બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ત્યાં પાર્ટી પ્લોટમાં પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેમાં લોન લેવામાં આવે છે. કેયૂર રોકડિયાએ આક્ષેપ કર્યો હતો કે પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જમાવટે જ્યારે પૂછ્યું હતું કે વડોદરાના અન્ય બાંધકામ તોડવાનો તમને ક્યારે સમય મળશે? ત્યારે કેયૂર રોકડિયાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 


કોણ છે આ નવનીત કાકા?

ઈસુદાન ગઢવીએ ટ્વીટમાં જે નવનીત કાકાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વડોદરાના રહીશ છે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેઓ પાર્ટી પ્લોટના માલીક છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને પણ અગાઉ કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટમાં જગ્યા આપી ચૂક્યા છે. તેઓ પાર્ટી પ્લોટના માલીક છે અને પાર્ટી પ્લોટની કામગીરી સાથે જોડાયેલા છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.