આમીર ખાનની એડ પર કેમ થઈ રહ્યો છે વિરોધ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 21:36:01

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની એક એડવર્ટાઈઝમેન્ટનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ એડ ખાનગી બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી અને આમીર ખાન દેખાઈ રહ્યા છે. 


આમીર કરી રહ્યા છે ગૃહ પ્રવેશ 

આ એડની અંદર આમીર ખાન ઘર જમાઈ બનીને ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આમીર ખાન સાસરિયાના ઘરમાં કળશને પગથી હટાવી પ્રવેશ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને આમીર ખાન નવદંપતી છે અને લગ્ન બાદનો સીન આ એડની અંદર દેખાઈ રહ્યા છે. આમીર ખાન એટલા માટે ઘર જમાઈ બની રહ્યા છે કારણ કે વધુના પિતા બીમાર છે. 


સોશિયલ મીડિયા પર આમીર ખાનને ટ્રોલ કરાયા 

સોશિયલ મીડિયા પર આમીર ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમીર હિંદુ ધર્મના લોકોની આસ્થા દુભાવી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચે પણ આમીર ખાનને ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ સમગ્ર મામલે ગુસ્સે થયા છે. નરોતમ મિશ્રાએ કહ્યું હતું કે આવી એડથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું ના કરી શકે. મેં પણ એડ જોઈ છે અને મને પણ બરોબર નથી લાગ્યું. ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રી પણ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે