કોહિનૂર હિરો કેમ ટ્વીટર પર ટ્રેન્ડમાં છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:10:51

કેમ કોહિનૂર ટ્વિટર પર ટ્રેન્ડ છે ? 

ગુરુવાર રાતે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું હતું. રાણી ક્વીન એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી હતાં. રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકો એ વાત જાણવાનો ઉત્સાહત છે કે રાણીના તાજમાં જે હીરો જડેલો છે તે કોહિનૂર હીરાનું શું થશે? આ કોહિનૂર હવે કોને સોંપવામાં આવશે? એટલે રાણીના મૃત્યુ પછી તરત આ વિષય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો છે. 


કોહિનૂર હીરાનો ઈતિહાસ 

કોહિનૂર હીરો જે 105.6 કેરેટનો છે. જે વિશ્વનો સૌથી કિંમતી અને સૌથી મોટો હીરો માનવામાં આવે છે. ઈતિહાસમાં જઇયે તો કહેવાય કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો. પરંતુ જયારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો ત્યારે 1877માં બ્રિટનના તે સમયના રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોહિનૂરને બ્રિટનના શાહી તાજમાં સ્થાપવામાં આવ્યો અને બ્રિટનના શાહી તાજમાં કોહીનૂર ઉપરાંત અનેક કિંમતી અને દુર્લભ હીરા અને રત્નો જડેલા છે. ત્યારથી જ કોહિનૂર બ્રિટનના તાજમાં જ જડેલ છે અને આ કોહિનૂર પર ભારત સહીત ચાર દેશ પોતાનો હોવાનો દાવો કરે છે. 


કોને મળશે કોહિનૂર ? 

કહેવાય છે કે રાણીના મૃત્યુ બાદ જે બ્રિટનના રાજા બનશે એટલે કે રાજા ચાર્લસની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. હાલ તો રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયએ કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતા છે . 


કિંમતી હીરાની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ ફરી કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. જેમ કોહિનૂર દુર્લભ હીરો છે તેમ રાણીના તાજમાં આફ્રિકાનો હીરો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પણ જડેલો છે. તેની કિંમત 400 મિલિયન આસપાસ છે. ભારતે કોહિનૂર પરત માંગ્યો તેમ આફ્રિકાએ પણ 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા'ને પરત કરવાની માગણી કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.