કેમ કાંતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-10-22 16:32:40

કર્ણાટકની ફિલ્મ કાંતારા ભારત સહિત દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર 16 કરોડ રૂપિયામાં બની છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં 140 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તો કાંતારા ધૂમ કમાણી કરી રહી છે પણ તેમાં જે પરંપરા દેખાડવામાં આવી છે તેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પણ શું છે તે વિવાદ જેના કારણે કન્નડ અભિનેતા ચેતન પર ફરિયાદ કરવામાં આવી છે? શું છે વિવાદ? શું છે તે પરંપરા? શું છે ભૂતકોલા? ચાલો જમાવટ પર જાણીએ......


શા માટે વિવાદમાં ફસાઈ કાંતારા ફિલ્મ?

કન્નડ પોલીસનું કહેવું છે કે ઉડુપ્પી જિલ્લામાં કથિત રીતે હિંદુઓની ભાવના દુભાય તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યા છે. જેના કારણે ફરિયાદ નોંધાવાઈ છે. દક્ષિણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હિંદુ જાગરણ વેદિક નામનો એક સમૂહ જોડાયેલો છે. જેણે કાંતારા ફિલ્મમાં ભૂતકોલાની પરંપરા દેખાડવામાં આવી છે તેના પર અભિનેતા ચેતને જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 


પણ એ ભૂતકોલા શું હોય છે?

કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતકોલા નામની પ્રથા ઉજવે છે. ભૂતકોલા પ્રથામાં ગામના લોકો દેવની પૂજા કરે છે. પ્રથામાં પૂજા કરવામાં આવે છે અને ગામનો કોઈ વ્યક્તિ દેવની વેશભૂષા ધારણ કરે છે. માન્યતા મૂજબ આ વ્યક્તિ નૃત્ય કરે છે અને જ્યારે નૃત્ય કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર આત્મા આવી જતી હોય છે. આ દરમિયાન તે વ્યક્તિ ગામના લોકોને આદેશ આપે છે અને જે આદેશ આ વ્યક્તિ આપે છે તે ભગવાનનો આદેશ માનવામાં આવે છે. કાંતારા ફિલ્મની સ્ટોરી લાઈન પણ આ પ્રથા પર જ આધારિત છે.   






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.