ગોપાલ ઈટાલિયા હર્ષ સંઘવી અને સી આર પાટીલને જ કેમ ટાર્ગેટ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:58:20

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે, તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોના વલણ પણ ચૂંટણીના મૂડમાં નજરે પડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. 


શા માટે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર? 

હર્ષ સંઘવી પર પ્રહાર કરતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે, ઓગસ્ટ મહિનો આવી ગયો પરંતુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારને પેકેજ આપવા માટે હજુ પરિપત્ર કર્યો નથી. ગોપાલ ઈટાલિયાએ પ્રશ્ન કરતા ઉમેર્યું કે ઓગસ્ટ મહિનામાં પોલીસ પરિવારને પેકેજના વધારાનો મળશે કે નહીં? શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવાર સાથે જ છેતરપિંડી નથી કરી રહ્યાને? આમ કરીને ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હર્ષ સંઘવીને પોલીસ જવાનોના પગાર પર કરેલો વાયદો યાદ અપાવ્યો હતો. થોડા સમય પહેલા પોલીસના ગ્રેડ પે પર અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું. જેના સમર્થનમાં અનેક પોલીસ પરિવારે અરવિંદ કેજરીવાલના નિવેદનને પોતાના સ્ટેટસ પર રાખ્યું હતું. પોલીસ પરિવારનો રોષ ઓછો કરવા માટે ગુજરાત સરકારે ઉતાવળે પોલીસ જવાનોના પગારમાં વધારો કરી દીધો હતો.  


કેમ ગોપાલ ઈટાલિયાના હર્ષ સંઘવી અને પાટીલ પર વધી રહ્યા છે પ્રહાર?

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. ભાજપના હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભાથી આવે છે. સીઆર પાટીલ પણ દક્ષિણ ગુજરાતમાં સારી પકડ ધરાવે છે.  ગોપાલ ઈટાલિયા અવાર-નવાર હર્ષ સંઘવી અને સીઆર પાટીલ વિશે વિવાદિત નિવેદન આપતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાનું ગઢ હોવાના કારણે ચૂંટણી દરમિયાન સુરતની રાજનીતિનો ગરમાવો વધુ રહેશે. દક્ષિણ વિસ્તારની રાજનીતિની વાત કરીએ તો ચૂંટણી દરમિયાન લોકોનું ધ્યાન આકર્ષવા નેતાઓ પોતાની નિવેદનબાજી વધુ આક્રામક બનાવશે.


કોણ છે ગોપાલ ઈટાલિયા અને શા માટે ઈટાલિયાનું છે મહત્વ?

ગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારમાં ક્લાર્ક અને પોલીસ કોન્સ્ટેબલ પદે સેવા આપી ચૂક્યા છે પરંતુ તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે વધુ ચમક્યા હતા. ત્યાર બાદથી તેમની લોકપ્રિયતા વધવા લાગી હતી. અનેક પાટીદાર આંદોલનના નેતા તે સમયે ચમક્યા હતા જેમાં દીનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણીને પણ પાટીદાર અનામત આંદોલનમાં PAASના નેતાઓને ટેકો દર્શાવ્યો હતો. 


રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં વરાછા બેઠક શા માટે મહત્વની?

વરાછા વિધાનસભા ક્ષેત્ર પાટીદારોનો ગઢ સમાન છે. આંદોલનનો રોષ અને પાટીદાર ફેક્ટર બંને એકસાથે અસર કરવાથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વરાછા જીતવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુમાર કાનાણીનો પાટીદારોને સમર્થન રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ, આપ અને ભાજપ ફરી કોની ઉમેદવારી આપશે તેના પર સૌ રાજકીય વિશેષકોની નજર રહેશે. 


PAASના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયાનું કોને રહેશે સમર્થન?

પાટીદાર અનામત આંદોલન નેતા અલ્પેશ કથીરિયાનો ટેકો પણ કોંગ્રેસ-ભાજપ-આપ માટે મહત્વનો છે. ત્યારે આ સમયે અલ્પેશ કથીરિયાનો ટેકો કોને રહેશે તે જોવાનું રહ્યું. જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ ચિત્ર સ્પષ્ટ દેખાતું જશે. પરંતુ અત્યારે અલ્પેશ કથીરિયા કોની સમક્ષ સમર્થન દર્સાવશે તે મામલે ધુમ્મસ છવાયેલી છે. 


ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ થોડા સમય જાહેર સભામાં પહેલા ચૂંટણીની તારીખો મામલે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી 2 મહિનાની અંદર જાહેર થવાની સંભાવના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ કમર કસી લીધી છે અને યુદ્ધના મેદાને ઉતરી ગયા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!