શા માટે રાજ્યના મુખ્યમંત્રી રથના પ્રસ્થાન પહેલા કરે છે પહિંદ વિધી? જાણો શું છે તેનું મહત્વ?


  • Published By :
  • Published Date : 2023-06-20 10:00:41

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી. સામાન્ય વ્યક્તિની જેમ નગરનો રાજા રથની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરે જે રસ્તેથી રથ પસાર થવાનો હોય તે રસ્તાને શુદ્ધ કરવાની વિધીને પહિંદ વિધી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ હક રાજાને મળતો હતો પરંતુ હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવે છે કારણ કે તેમને રાજ્યના રાજા માનવામાં આવે છે. 


સોનાની સાવરણીથી રસ્તો કરાય છે સાફ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્તાન થઈ ચૂક્યું છે. પોતાના રથ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપવા ભગવાન નગરયાત્રાએ નીકળ્યા છે. બહેન સુભદ્રા પોતાના બે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સીએમ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી અને તે બાદ રથયાત્રાનો પ્રારંભ થયો. લોકવાયકા અનુસાર સામાન્ય માણસની જેમ રથયાત્રાના પ્રારંભ પહેલા રાજા સોનાની સાવરણીથી ભગવાન માટે રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. 


રથયાત્રાના પ્રસ્તાન વખતે મુખ્યમંત્રી પણ ખેંચે છે દોરડું

પહેલાના સમયમાં રાજા પહિંદ વિધી કરતા હતા પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી આ વિધી કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ખલાસીઓ સાથે રથનું દોરડું ખેંચે છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. સાફો પહેરી રાજ્યના વડા હોવાને નાતે મુખ્યમંત્રી પહિંદ વિધી કરે છે. મહત્વનું છે અમદાવાદમાં 1990થી પહિંદ વિધી થયા છે. સૌથી વધારે પહિંદ વિધી કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તે સિવાય કેશુભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરવાનો લ્હાવો લીધો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.