સૂર્યનારાયણ ભગવાન કેમ કરે છે સાત ઘોડાના રથની સવારી! કોણ છે રથના સારથી, જાણો


  • Published By :
  • Published Date : 2023-01-26 17:28:52

હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યનારાયણને વર્ણવામાં આવ્યા છે. ભગવાન સૂર્યને રવિ, ભાસ્કર, ખગાય તરીકે પણ સંબોધવામાં આવે છે. શાસ્ત્રોમાં રવિ ભગવાન વિશે ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ ભગવાન સૂર્યનારાયણના ફોટાને અથવા તો મૂર્તિને જોઈએ તો આપણને ભગવાન સૂર્યનારાયણને સાત રથ પર સવાર જોવા મળે છે. ભગવાન સૂર્યના સાત ઘોડા વિશે વાત કરીઓ તો શાસ્ત્રોમાં સાતેય ઘોડાના નામોનો ઉલ્લેખ મળી આવે છે.

For immpressive personality do suryanarayan pooja on sunday | प्रभावशाली  व्यक्तित्व पाने के लिए रविवार को करें सूर्यनारायण की पूजा, इस मंत्र का भी  करें जाप | Patrika News

શું છે સૂર્યનારાયણના સાત ઘોડાના નામ 

સાત ઘોડાના નામની વાત કરીઓ તો આ પ્રમાણે છે – ગાયત્રી, ભારતી, ઉસ્નિક, જગતિ, ત્રિસ્તપ, અનુસ્તપ અને પંક્તિ છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સૂર્યના સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત ઘોડાને મેઘધનુષના સાત રંગો સાથે પણ જોડવામાં આવે છે. સૂર્યના કિરણોમાં સાત પ્રકારના પ્રકાશ જોવા મળે છે. સાત ઘોડાથી નિકળતા રંગોનો પણ આપણા જીવનમાં વિશેષ મહત્વન ધરાવે છે. આ ઘોડાનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 7 ઘોડા વિશાળ અને મજબૂત છે. આ ઘોડાની લગામ અરૂણ દેવે પોતાના હાથમાં રાખી છે. અરૂણ દેવ સૂર્યદેવનો રથ ચલાવે છે. 


એક પૈયાના રથ પર સવારી કરે છે ભગવાન સૂર્યનારાયણ!

આપણને દેખાતી મૂર્તિમાં ભગવાન સૂર્યનારાયણના રથને બે પૈડા બતાવામાં આવ્યા છે. પરંતુ શાસ્ત્રાના મત અનુસાર ભગવાન સૂર્યનારાયણ એક પૈડાવાળા રથ પર સવારી કરે છે. આ એક પૈડાને એક વર્ષનું પ્રતિક માનવામાં આવે છે. પૈડામાં 12 ચક્રો છે જે વર્ષના મહિનાઓને દર્શાવે છે. અનેક લોકો પોતાના ઘરમાં સાત ઘોડાની તસ્વીર રાખતા હોય છે. અને એવું માને છે કે આ ફોટો રાખવાથી વ્યક્તિમાં હિંમત, ધીરજ, પ્રેમ, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં માણસની પ્રગતિ થાય છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.