TET-TAT ઉમેદવારના આંદોલનને કેમ Yuvrajsinhએ GSRTC, GETCO,TRB જેવા આંદોલનો સાથે સરખાવ્યા? જુઓ વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 13:26:16

જ્ઞાન સહાયકનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક સમય વિત્યો આંદોલન કરે પરંતુ હજી સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો સફળ નથી થયા. ગુજરાતના ભાવિ શિક્ષકોના સમર્થનમાં અનેક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોસ્ટ કરી છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. સરકારને અનેક વખત તેમણે  પ્રશ્ન પૂછ્યા પરંતુ આ વખતે તેમણે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા અને આંદોલન સફળ ન થવાના અનેક કારણો પણ જણાવ્યા છે. 

જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે 50 ટકા હાર!

કહેવાય છે કે એકતામાં તાકાત રહેલી છે. જો લોકો સંગઠિત હશે તો પણ મુસીબતનો સામનો થઈ શકશે. પરંતુ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં એકતાની કમી દેખાઈ રહી છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે  જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે આંદોલનની 50 ટકા હાર. વધુમાં તેમણે લખ્યું કે ગાંધીજીનું અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે? એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું. 


અનેક આંદોલનોનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ 

એવી માહિતી પણ સામે આવી છે કે વિરોધ કરી રહેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું કે એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈ લડાઈ જીતી નથી શકાતી. મહત્વનું છે કે જે આંદોલનનો ઉલ્લેખ યુવરાજસિંહે કર્યા તેના સફળ થવા પાછળનું કારણ એકતા હોઈ શકે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.