ચૂંટણીમાં મતદાન કરવા વિશ્વ હિન્દુ પરિષદનું પત્રક કેમ થઈ વાયરલ?


  • Published By :
  • Published Date : 2022-11-26 15:31:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, હમણા તો પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતમાં મતદાન કરવા પ્રચાર કરી રહ્યું છે. જે પત્રના મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વાયરલ થઈ રહ્યું છે. 


હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા- VHP 

આ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે, "આઓ સૌ મળીને હિન્દુ હિતમાં મતદાન કરીએ." આક્રાંતાઓના ઈતિહાસથી આ પત્રની શરૂઆત થાય છે ત્યાર બાદ આજની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. અત્યારના કેન્દ્ર સરકારના કામોની આ પત્રની અંદર વાતો કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે "હિન્દુ વિરોધી એક થયા હોય ત્યારે હિન્દુઓ આપણી સામૂહિક જવાબદારી પણ બતાવવી પડશે." 


VHP: विश्व हिंदू परिषद ने कई प्रांतों के अध्यक्ष बदले - Vishwa Hindu  Parishad changed presidents of many provinces

ઈતિહાસમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ઘટનાઓ થઈ તેનાથી સૌ પરિચિત છે. વિશ્વ હિન્દુ તે ઘટનાઓના ડર બનાવી તેના જોરે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં પાયાની જરૂરીયાતો અતિ આવશ્યક હોય છે. લોકોમાં શિક્ષણ આવતા તેઓ પોતાના અધિકાર અને જરૂર વિશે સમજવા લાગ્યા છે. માણસ પાસેથી ભય નામના વિકારથી ગમે તે કરાવી શકાય છે, અત્યારે આ પત્રક મારફતે તેવું કરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે ઘણી વસ્તુઓ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના નામે આ પત્ર મારફતે જે પ્રચાર કરી રહ્યા છે તેનાથી કેટલા લોકો તેમના તરફ વળશે કે કેટલા લોકો પાયાની જરૂરિયાતો જોઈ તરફ વળશે તે જોવાનું રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.