મણિનગરની ઘટનામાં પોલીસે કેમ કાયદો હાથમાં લીધો? આવી કાર્યવાહી બૂટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી?


  • Published By :
  • Published Date : 2023-07-25 17:16:39

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલને લઈ લોકોમાં રોષ છે. ઈસ્કોન ખાતે અકસ્માત સર્જાયો હતો તેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ હતી. આ કેસ હજી સુધી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે મણિનગરમાં અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ હતી. માત્ર થોડા કલાકોની અંદર પોલીસે નબીરાઓની અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે પોલીસે જાહેરમાં તેમની સરભરા કરી. 

પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થાને જાળવવાનું  

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં પોલીસ દ્વારા કરાયેલી એક્શન વિરૂદ્ધ લાલઆંખ કરી હતી. થોડા સમય પહેલા જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તે દરમિયાન પોલીસે અનેક લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી. આ કેસ હજી સુધી શાંત નથી થયો ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. મણિનગરમાં અકસ્માત સર્જનાર વ્યક્તિો પર જાહેરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે. ત્યાં હાજર લોકોને તે જોઈને મજા પણ આવી હશે. પરંતુ શું પોલીસનું કામ સજા ફટકારવાનું છે? 

પોલીસ બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરતી કાર્યવાહી?

પોલીસ જ્યારે ન્યાય કરવા પર ઉતરી આવે ત્યારે? પોલીસનું કામ સજા આપવાનું નથી પરંતુ આરોપીને પકડી, કોર્ટ સમક્ષ પૂરાવા સાથે રજૂ કરવાનું છે. આરોપી સાથે શું થવું જોઈએ, આરોપીને શું સજા મળવી જોઈએ તે કોર્ટ નક્કી કરશે, પોલીસ નહી. પોલીસ દ્વારા આ લેવાયેલા પગલા વિશે એટલું જ કહેવું છે કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી? અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પોલીસને પણ જાણ હોતી હોય છે, જાણ તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનની નજીક જ દારૂ વેચાતો હોય છે. ત્યારે શા માટે આવી કાર્યવાહી કરવામાં નથી આવતી? આવા પગલા બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી ઉઠાવામાં આવતા?      


જો કાયદાનું પાલન કરાવનાર જ કાયદાને હાથમાં લેશે તો? 

કાયદાને હાથમાં લેવાનો હક કોઈને પણ નથી. આપણે ત્યાં દરેક વસ્તુ સિસ્ટમથી ચાલે છે. પોલીસનું કામ છે જો કોઈ આરોપી પકડાય છે તો તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા, આરોપીને સજા કરવા માટે જરૂરી પૂરાવા કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા.. જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે તે જ કાયદાને હાથમાં લેશે તો કાયદાનું પાલન કોણ કરાવશે? પોલીસ વાળા જ જો કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે તો કાયદો કોઈ દિવસ સુરક્ષિત નહીં હોય. આરોપીને સજા થાય તે ખૂબ જરૂરી છે પરંતુ આવી રીતે ક્યારેય નહી. પોલીસ કાયદો હાથમાં ન લઈ શકે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!