Corona બાદ શા માટે વધ્યા Heart Attackના કિસ્સા? Gujaratના યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો!


  • Published By :
  • Published Date : 2024-01-04 15:37:16

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે હાર્ટ એટેકને કારણે, યુવાનોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. નાની ઉંમરના લોકોને કાળ ભરખી રહ્યો છે. ત્યારે આજે બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોવાનું અનુમાન છે. આજે કિસ્સા સુરત અને ભાવનગરથી સામે આવ્યા છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘટના બની છે. ભાવનગરમાં વકીલનું મોત હાર્ટ એટેકને કારણે થયા હોવાની આશંકા છે.


શા માટે આવે છે હાર્ટ એટેક?

યુવાનો પર હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકનો ભોગ નાની ઉંમરના યુવાનો બની રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે તેવું લાગે છે. રાજ્યમાં સરેરાશ 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. હાર્ટ એટેક માટે પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ આ થાય છે. પરંતુ કોરોના બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ. યુવાનો, નાના બાળકોના જીવ પર હૃદય હુમલાને કારણે જોખમ વધી ગયું છે. હાર્ટ એટેક કોઈ મર્યાદા સુધી મર્યાદિત નથી. 



હાર્ટ એટેક આવવાના લક્ષણો શું? 

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય  રીતે મનુષ્યના હૃદય સુધી ઓક્જિસન નથી પહોંચતું ત્યારે હાર્ટ એટેક આવે છે. નળીમાં બ્લોકેજ હોય ત્યારે સામાન્ય રીતે હૃદય સુધી લોહી નથી પહોંચતું. હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખૂબ જ પરસેવો આવવો, છાતીમાં સતત દુખાવો થવો, બેચેની લાગવી હોય છે. હાર્ટ એટેક આવવા પાછળના કારણની વાત કરીએ તો વધારે પડતું સ્ટ્રેસ લેવું, પૂરતી ઉંઘ ન લેવી, વધારે પડતી કસરત કરવી જેવી અનેક વસ્તુઓને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો રહે છે.


શા માટે વધી રહ્યા છે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા? 

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. વાત સાચી પણ છે. હાર્ટ એટેકનો ખતરો એટલા માટે વધી જાય છે કારણ કે કોરોના સંક્રમણની અસર વ્યક્તિના દિલ પર પડી છે. અનેક વ્યક્તિઓના ઉદાહરણો આપણી સામે હશે જે કોરોના બાદ જલ્દી થાકી જતા હશે, રોગ જલ્દી પકડાઈ જતો હશે વગેરે વગેરે.. ત્યારે કોરોનાના કારણે નળીમાં લોહી ગંઠાઈ જાય છે જેને કારણે બ્લોકેજ થાય છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.