સુમુલ ડેરીએ શા માટે કરી ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી? અધિકારીઓ પર શેના લાગ્યા હતા આરોપ??


  • Published By :
  • Published Date : 2023-01-22 09:37:51

સુમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. વહીવટમાં ગેરરીતી આચરી હોવાને કારણે સુમુલ ડેરીએ ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટર કરી દેવાતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 


ત્રણ અધિકારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પ્રાપ્ત વિગતો અનુસાર ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે તેમજ દૂધને બારોબાર સગેવગે કરવાના આક્ષેપોને પગલે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


દૂધની ચોરી કરાતું હોવાની આશંકા

ડેરીમાં થતો ભ્રષ્ટાચાર ધીરે ધીરે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પણ ચર્ચામાં આવી છે. સુમુલ ડેરીએ પોતાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધની ચોરી થઈ રહી હતી. ત્રણેય અધિકારીઓ દ્વારા ગેરરીતી અપનાવામાં આવી રહી હતી. જેને લઈ અધિકારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.